Gujarat

અમીત શાહ તથા દાદા ધાટલોડિયામાં પતંગોત્સવ ઉજવશે

ગાંધીનગર : કેન્દ્રિય ગૃહ પ્રધાન અમીત શાહ તથા મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે અમદાવાદમાં (Ahmedabad) પતંગોત્સવ ઉજવશે. અમીત શાહ આવતીકાલે તા.14મી જાન્યુ.ના રોજ ઉત્તરાયણ (Uttrayan) પર્વ દરમ્યાન અમદાવાદમા જમાલપુર જગન્નાથજી મંદિર ખાતે દર્શન કરશે, તે પછી વેજલપુરમાં વેનસ પાર્ક તથા ઘાટલોડિયામાં ગોતા શુકન રેસિડેન્સી ખાતે પતંગોત્સવમાં જોડાશે. જયારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઘાટલોડિયા ખાતે કાર્યકરો સાથે પતંગ મહોત્સવમાં જોડાશે. બપોરે 3.30 વાગ્યે અમીત શાહ ગાંધીનગરમાં કલોલ ખાતે કપિલેશ્વર મહાદેવ ખાતે પૂજા – અર્ચના કરશે, તે પછી કલોલ ખાતે સ્નેહ ગ્રીન ફલેટસ ખાતે કાર્યકરો સાથે પતંગોત્સવમાં જોડાશે.

Most Popular

To Top