Gujarat Main

કોરોનાના ગુજરાતમાં વળતાં પાણી, 15 જિલ્લાઓમાં શુન્ય સાથે નવા માત્ર 151 કેસ

રાજ્યમાં ધીરે ધીમે કોરોનાના વળતાં પાણી થઈ રહ્યા છે, આજે રાજ્યના 15 જિલ્લાઓમાં કોરોનાનો નવો એક પણ કેસ નોંધાયો નથી. જ્યારે આજે ઘણા દિવસો પછી મૃત્યુઆંક પણ ઘટીને માત્ર 2 થયો છે. આજે રાજ્યમાં નવા 151 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 2 દર્દીનું મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક 10,034 પર પહોચ્યો છે.

રાજ્યમાં અમદાવાદ ગ્રામ્ય, અરવલ્લી, બનાસકાંઠા, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, ગાંધીનગર ગ્રામ્ય, મહિસાગર, મોરબી, નર્મદા, પાટણ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને તાપી જિલ્લામાં એકપણ નવો કેસ આજે નોંધાયો નથી. આજે 619 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 8,06,812 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં ઘટીને 6,539, થઈ છે. 113 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે, અને 5,526 દર્દીઓ સ્ટેબલ છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 36, સુરત મનપામાં 16, વડોદરા મનપામાં 07, રાજકોટ મનપામાં 09, ગાંધીનગર મનપામાં 01, જામનગર મનપામાં 02 અને જૂનાગઢ મનપામાં 03 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 10, વડોદરા ગ્રામ્યમાં 10, જૂનાગઢ ગ્રામ્યમાં 10, ભરૂચમાં 05, રાજકોટ ગ્રામ્યમાં 03, વલસાડમાં 06, અમરેલીમાં 03, નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ 02 દર્દીનું મૃત્ય થયું છે. જેમાં અમદાવાદ મનપામાં અને સુરત મનપામાં 1-1- કુલ 02 દર્દીનું મૃત્યુ થયું છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 10,034 થયો છે.

આજે 4,87,960 વ્યકિતઓને રસી આપવામાં આવી

18 થી 45 વર્ષ સુધીના વ્યકિતઓનો પ્રથમ ડોઝ 3,53,780, બીજો ડોઝ 18,283, જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના પ્રથમ ડોઝ 70,199, બીજો ડોઝ 39,799, તેવી જ રીતે હેલ્થ કેર વર્કસ અને ફંટ લાઈન વર્કસનો પ્રથમ ડોઝ 858, અને બીજો ડોઝ 5.041, આમ કુલ 4,87,960 વ્યકિતઓને રસી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં 2,25,56,262 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top