Business

12 કેદીઓ વિરુદ્ધ હુલ્લડનો ગુનો દાખલ

વડોદરા: વડોદરા શહેરની મધ્યસ્થ જેલમાં પીઆઇ પદે ફરજ બજાવતા વિપુલચંદ્ર બારીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે જેલ સર્કલ વિભાગમાં શિસ્ત અને સલામતી ધ્યાને રાખીને બેરેક બદલી મુદ્દે કાચા કામના 21 આરોપીઓએ ઉશ્કેરણીજનક કૃત્ય કર્યું હતું. અભિજીત ઉર્ફે અભી આનંદ ઝા અને હર્ષિલ પ્રવીણભાઈ લિંબચીયાને યાર્ડના અન્ય કેદીઓ ટિંગા ટોળી કરીને દવા પી લીધી છે. તેવા ખોટા બુમ બરાડા પાડીને જેલ દવાખાને લઈ જવા બહાર કાઢ્યા હતા.

  તોફાને ચડેલા કેદીઓએ ફરજ પરના પોલીસ તથા મેડિકલ સ્ટાફને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ જેલ દવાખાનામાં પડેલી વસ્તુઓ , દવાઓ તથા ટેબલો ફંગોળી નુકસાન પહોંચાડ્યું હતું. મેડિકલ સ્ટાફ સાથે પણ ગેરવર્ણતુંક કરી ખોટા શબ્દોનો ઉપયોગ કર્યો હતો.અને વ્યાપક તોડફોડ કરી નુકસાન પહોંચાડયુ હતુ. સાથે જેલની શિસ્ત અને સલામતી ડહોળવાનો પ્રયાસ કરવામા સંડોવાયેલા 12 કેદીઓ વિરુદ્ધ રાવપુરા પોલીસે આરોપીઓ  આઇપીસી 143, 147, 148, 149,294(એ), 504, 506(2)એનએસ 353 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દરમ્યાન કેદી યશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજુ દલપતભાઈ ગોહિલની મારી સાથે બંધી થતાં ટિફિન જમવાનો ઇનકાર કરે છે. જેથી તેની બેરેક બદલી ના કરશો. જોકે અધિક્ષકના આદેશ અનુસાર બેરેક બદલી કરવી ફરજીયાત હોય કેદી યશપાલસિંહ જાડેજા ઉશ્કેરાયો હતો. અને ગંદી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી બેરેકમાં જતો રહ્યો હતો. તેના કહેવાથી તથા ઉશ્કેરણીથી અન્ય કાચા આરોપીઓએ હોબાળો મચાવ્યો હતો. તોફાની કેદીઓ સલમાન ઉર્ફે સમીર ચાંદખાન હસન મહંમદ મુલ્લાજી પઠાણ, સુલતાન ઉર્ફે તાન સત્તારભાઈ મીરાશી, હૈદરઅલી રફીકસા દિવાન, મજીદ રફીકભાઈ ભાણું અને સાબીર ઉર્ફે શેરો કરીમભાઈ મહમ્મદભાઈ શેખએ મંડળી બનાવી સર્કલ બુરજી ખાતે ફરજ પરના અધિકારી કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી તે પૈકીના સલમાન પઠાણે પાણી ભરેલું માટલું પોતાની જાતે પોતાના માથામાં ફોડ્યું હતું.

તેમજ લોખંડના સળિયાનું સ્ટેન્ડ ઊંચકી પોતાના માથાના ભાગે ઇજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. જૉ કે ત્યા હાજર સુલતાન મિરાસી લોખંડનું સ્ટેન્ડ આંચકી પોતાના માથામાં જાતે ઈજા કરવા લાગ્યો હતો. તેના હાથમાંથી લોખંડનું સ્ટેન્ડ છોડાવતા સમયે અન્યને ઈજા પહોંચી છે. અને પોતાની જાતે જમીન ઉપર આળોટી ખોટી રીતે બેહોશ થઈ ગયો હતો. ત્યારબાદ વારાફરતી અન્ય આરોપી સોએબ અખ્તર કુરેશી, શબ્બીર ઉર્ફે સાગર મોહમ્મદ સિદ્દીક સૈયદ અને આકાશ ભગવાન વાડકેએ પણ દવા પીધી હોવાનો હોબાળો મચાવ્યો હતો.  આમ, એકસંપ થઈ પોતાનો બદઇરાદો પાર પાડવાના ઇરાદે પોતાની જાતે જ ઈજા પહોંચાડવાનો પ્રયાસ કરીને ફરજ પરના કર્મચારીઓને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી, કોઈ પ્રવાહી પી લીધું છે તેવો ઢોંગ કરી જેલની શિસ્ત અને સલામતી ડહોળવાનો પ્રયાસ કર્યો છે.

Most Popular

To Top