Entertainment

બોલીવુડની પીઢ અભિનેત્રી અને ટીવી શો રામાયણના રામની ભાભી તબસ્સુમ ગોવિલનું નિધન

ફિલ્મો અને ટીવીની (Film And Television) જાણીતી હસ્તી તબસ્સુમ (Tabassum) ગોવિલનું 78 વર્ષની વયે નિધન (Death) થયું છે. પીઢ અભિનેત્રી તબસ્સુમ ગોવિલનું શુક્રવારે સાંજે કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું હતું. તેઓ તેમના શો ‘ફૂલ ખીલે હૈં ગુલશન ગુલશન’ (Phool Khile Hai Gulshan Gulshan) માટે લોકપ્રિય હતા. 21 નવેમ્બરે આર્ય સમાજ, લિંકિંગ રોડ, સાંતાક્રુઝ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવશે.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી (Hindi Film Industries) સાથે જોડાયેલા વધુ એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. પીઢ અભિનેત્રી (Actress) તબસ્સુમનું નિધન થયું છે. તેમણે 78 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રીને ગઈકાલે (18 નવેમ્બર) સાંજે હાર્ટ એટેક આવ્યો હતો. તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. તબસ્સુમના મૃત્યુના સમાચારથી બોલિવૂડને આંચકો લાગ્યો છે. તાજેતરમાં સાઉથ એક્ટર મહેશ બાબુના પિતા કૃષ્ણાનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું. બીજી તરફ ટીવી એક્ટર સિદ્ધાંત વીર સૂર્યવંશી પણ થોડા દિવસો પહેલા કાર્ડિયાક અરેસ્ટને કારણે આ દુનિયા છોડી ગયા હતા.

તબસ્સુમના પુત્ર હોશાંગ ગોવિલે જણાવ્યું કે તેમની માતાએ શુક્રવારે સાંજે અંતિમ શ્વાસ લીધા. તેમણે કહ્યું કે ગઈકાલે સવારે 8.40 વાગ્યે કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું અવસાન થયું હતું. તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ હતા. અમે અમારા શો માટે 10 દિવસ પહેલા શૂટિંગ કર્યું હતું. આવતા અઠવાડિયે ફરીથી શૂટિંગ થવાનું હતું. અભિનેત્રીના પુત્રએ આગળ કહ્યું કે તેઓને ગેસ્ટ્રોની સમસ્યા હતી. અહીંની હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં તેમને રજા આપવામાં આવી હતી પરંતુ ગઈકાલે ફરી દાખલ કરવામાં આવ્યા હતા. તેઓને બે મિનિટમાં બે વાર કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો.

તબસ્સુમે લાંબા સમય સુધી બોલિવૂડમાં કામ કર્યું છે. બધાજ જાણે છે કે તેઓ એક ખૂબ સારા અભિનેત્રી હતા. પરંતુ તમને જણાવી દઈએ કે તેમણે ટોક શો પણ હોસ્ટ કર્યો હતો. તેમણે ફિલ્મ, ટીવી, રેડિયો અને વેબ ચારેય માધ્યમોમાં કામ કર્યું છે. તેઓ વાર્તા કહેવા માટે પ્રખ્યાત હતા. આ દિવસોમાં તેઓ તેમની યુટ્યુબ ચેનલ પર પણ ઘણા એક્ટિવ હતા અને બોલિવૂડની વાતો કહેતા હતા.

તબસ્સુમ અરુણ ગોવિલના ભાભી હતા
તમને જણાવી દઈએ કે તબસ્સુમ ગોવિલ પોતે અભિનેત્રી હતા અને તે ટીવી ધારાવાહિક રામાયણના રામ એટલે કે અભિનેતા અરુણ ગોવિલના ભાભી પણ હતા. તબસ્સુમે અરુણના ભાઈ વિજય ગોવિલ સાથે લગ્ન કર્યા હતા.

ગયા વર્ષે એપ્રિલમાં તબસ્સુમને કોવિડ-19નો ચેપ લાગ્યો હતો. તે સમયે તેમના મૃત્યુની અફવા ફેલાઈ હતી. અભિનેત્રીએ તેના મૃત્યુની નકલી અફવાઓ પર વળતો પ્રહાર કરતાં ઇન્સ્ટાગ્રામ પર કહ્યું હતું કે તમારી તમામ શુભકામનાઓ માટે આભાર. હું એકદમ સ્વસ્થ અને મારા પરિવાર સાથે છું. જે અફવાઓ ફેલાઈ રહી છે તે ખોટી છે. હું પ્રાર્થના કરું છું કે દરેક વ્યક્તિ સ્વસ્થ રહે. સલામત રહે.

Most Popular

To Top