Dakshin Gujarat

અંકલેશ્વરમાં શંકાશીલ પતિએ પત્ની પર કુહાડી વડે ઉપરા છાપરી વાર કરી ખેલ્યો ખૂની ખેલ

ભરૂચ: અંકલેશ્વરના (Ankleshwar) ધંતુરિયા ગામે ચારિત્રની વહેમમાં પતિએ પત્નીની (Wife) કુહાડી વડે નિર્મમ હત્યા (Murder) કરી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. છેલ્લા કેટલાક વખતથી પતિ-પત્ની વચ્ચે આ મુદ્દે ઝઘડો ચાલી રહ્યો હતો. ગુનાને અંજામ આપીને હત્યારો પતિ ફરાર થઇ ગયો હતો જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ શંકાશીલ પતિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર ઘટનાને પગલે ગામમાં ચકચાર મચી જવા પામી હતી. સ્થાનિક પોલીસને હત્યાની ઘટના અંગે જાણકારી મળતા જ તેઓ ઘટના સથળે દોડી ગયા હતા. સ્થળ ઉપર પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી.

  • ચારિત્રની વહેમમાં પતિએ પત્નીની કુહાડી વડે નિર્મમ હત્યા કરી
  • છેલ્લા કેટલાક વખતથી પતિ-પત્ની વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો

શંકાશીલ પતિ ગુનાને અંજામ આપીને ફરાર થઇ હયો હતો
પ્રાપ્ત જાણકારી અનુસાર અંકલેશ્વરના ધંતુરીયા ગામ ખાતે આવેલા ન્યૂ ધંતુરિયા ઇન્દિરા આવાસમાં રહેતી ૩૫ વર્ષીય પરિણીતા જ્યોત્સ્ના રણજિત વસાવા ગત રાત્રિના સમયે પોતાના ઘરે હતા. એ વેળા પતિ રણજિત બાલુ વસાવાએ તેના ચારિત્ર્ય વિશે ખોટી શંકા રાખી તેની સાથે ઝઘડો કર્યો હતો. ઝઘડા દરમિયાન એકાએક ઉશ્કેરાયેલા રણજિત વસાવાએ જ્યોત્સ્નાબેન ઉપર કુહાડી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં જ્યોત્સ્નાબેનને ગળા તેમજ મોંના ભાગે કુહાડીના ઘા ઝીંકતા ગંભીર ઇજા પહોંચતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. એ બાદ હત્યારો પતિ ફરાર થઈ ગયો હતો.

પોલીસે ગણતરીના કલાકોમાં જ શંકાશીલ પતિની કરી ધરપકડ
આ બનાવ અંગેની જાણ સ્થાનિકોએ અંકલેશ્વર રૂરલ પોલીસમથકે કરવામાં આવતાં પી.આઈ. ભાવિન ચૌધરી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી મૃતક જ્યોત્સ્ના વસાવાના મૃતદેહનો પંચનામું કરી પી.એમ. અર્થે ખસેડ્યો હતો. આ ઘટના અંગે મૃતકના સ્વજન અનિલ વસાવાએ તાલુકા પોલીસમથકે ફરિયાદ આપતાં પોલીસે રણજિત સામે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો.

Most Popular

To Top