Entertainment

AR Rahmanના લાઇવ કોન્સર્ટમાં એવું તો શું થયું કે સિંગરે ફેન્સને રિફંડ આપવાનું વચન આપ્યું

ચેન્નાઈ: પ્રખ્યાત ગાયક એ.આર. રહેમાન (A R Rahman) તેના શાનદાર અવાજ માટે દુનિયાભરમાં જાણીતા છે. એ આર. રહેમાને ઘણી ભાષાઓમાં પોતાના અવાજનો જાદુ ફેલાવ્યો છે. સિંગરે (Singer) ઘણી ભાષાઓ અને ઘણી ફિલ્મોમાં સુપરહિટ ગીતો ગાયા છે. આ વખતે ગાયક ચેન્નાઈમાં (Chennai) તેના લાઈવ કોન્સર્ટ (Live Concert) માટે સમાચારમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે લાઈવ કોન્સર્ટ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી અને મહિલાઓ અને બાળકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ કોન્સર્ટમાં ધમાલ મચાવ્યા બાદ હવે નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે.

વિશ્વવ્યાપી ઓસ્કાર વિજેતા ગાયક એ. આર. રહેમાનની ઘણી મોટી ફેન ફોલોઈંગ છે. ગાયકના કોન્સર્ટમાં હંમેશા ભારે ભીડ જોવા મળે છે. આ વખતે પણ એવું જ થયું, ચેન્નાઈમાં લાઈવ કોન્સર્ટ દરમિયાન ભારે ભીડને કારણે નાસભાગ મચી ગઈ, જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. દરમિયાન એ. આર. રહેમાને ચાહકોને એક સારા સમાચાર આપ્યા છે. એક આર. રહેમાને તેના સોશિયલ મીડિયા પર ચાહકોને સારા સમાચાર આપ્યા છે કે જે લોકોને મારા લાઈવ કોન્સર્ટમાં એન્ટ્રી નથી મળી, તેઓ તેમની ટિકિટની કોપી આપેલા ઈમેલ આઈડી પર મોકલી આપે અને તેમને ટિકિટના પૈસા પરત મળી જશે.

એ.આર.ની ગણતરી દિગ્ગજ ગાયકોમાં થાય છે. રહેમાને તેની કારકિર્દીમાં એક નહીં પરંતુ ઘણા સુપરહિટ ગીતો કંપોઝ કર્યા છે અને ગાયા છે. તેમના ગીતોની યાદી ઘણી લાંબી છે, પરંતુ આજે પણ ગાયકના કેટલાક ગીતો એવા છે જેને લોકો હંમેશા સાંભળવાનું પસંદ કરે છે. આ સુપરહિટ ગીતોમાં ‘તુ હી રે’, ‘લુકા છુપી’, ‘તેરે બિના’, ‘છૈયાં છૈયાં’ અને ‘મિત્વા’ જેવા ગીતો પણ સામેલ છે.

Most Popular

To Top