Dakshin Gujarat

બીલીમોરા: પતિએ બીજા સાથે વાત કેમ કરે છે તેમ કહી ઝગડો કરતાં ચીખલીની પરિણીતાનો આપઘાત

બીલીમોરા: (Bilimora) ચીખલી રહેતી 25 વર્ષેની પરિણીતા એ ખાપરવાડા પાસે રેલ્વે ટ્રેન (Train) સામે પડતું મૂકીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

  • પતિએ બીજા સાથે વાત કેમ કરે છે તેમ કહી ઝગડો કરતાં ચીખલીની પરિણીતાનો આપઘાત
  • ચીખલીથી રિક્ષામાં બેસી બીલીમોરાના ખાપરવાડા જઇને ટ્રેન સામે પડતું મૂક્યું

ચીખલી વિનાયક કોમ્પલેક્સમાં પૂનમ વિકાસ ચીનેશ્વરપ્રસાદ વર્મા (25, રહે. મૂળ ઝારખંડ) પતિ અને તેના બે પુત્રો સાથે રહેતી હતી. તેનો પતિ ચીનેશ્વરપ્રસાદ વર્મા ચીખલી નજીક આવેલી સૉલર પેનલ બનાવતી વારી કંપનીમાં કામ કરતો હોવાનું જાણવા મળે છે. પતિએ તું બીજા સાથે કેમ વાતો કરે છે એવું કહીને ઝઘડો કર્યો હતો. જેથી તેને માઠું લાગી આવતા ગઈ તારીખ 19/2/2024 ને સાંજે 5:30 પછી ઘરેથી કોઇને કંઈ પણ કહ્યા વગર નીકળી ગઈ હતી.

જે રિક્ષામાં ચીખલીથી નીકળી બીલીમોરા નજીકના ખાપરવાડાના ઝોરા ફળિયામાં પહોંચી હતી અને ત્યાં રેલવે ટ્રેક ઉપર જઇને મુંબઈ જતી કોઈ ટ્રેન સામે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી. ટ્રેન નીચે કચડાઇ જવાથી તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું હતું. અકસ્માતનું સ્થળ બીલીમોરા સિટી પોલીસની હદમાં આવતું હોવાથી બીલીમોરા પોલીસે પોસ્ટમોર્ટમ સહિતની વિધિ પતાવીને તેનો મૃતદેહ પતિને સોંપ્યો હતો. તેના મોતના કારણે તેના બે નાના બાળકોએ માતાની છત્રછાયાં ગુમાવી હતી.

Most Popular

To Top