Entertainment

Bigg Boss 17: વિકી જૈન ફિનાલે પહેલા શોમાંથી બહાર, મુનાવર ફારુકીની ભવિષ્યવાણી સાચી પડી!

મુંબઇ: હવે બિગ બોસ 17ના (Bigg Boss 17) ફિનાલેમાં માત્ર 5 દિવસ બાકી છે. વિક્કી જૈનને (Vicky Jain) ફિનાલે પહેલા બિગ બોસના ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. ફેન ક્લબમાં તેના એલિમિનેશનની (Elimination) ચર્ચા છે. વિક્કીના એલિમિનેશનના સમાચારે ચાહકોને ચોંકાવી દીધા છે. જો કે આ અંગે સત્તાવાર નિવેદન આવવાનું બાકી છે.

વિકી બિગ બોસમાંથી બહાર
જ્યારે વિકી જૈન બિગ બોસના ઘરમાં પ્રવેશ્યો હતો ત્યારે લોકો તેને અંકિતા લોખંડેના પતિ તરીકે ઓળખતા હતા. પરંતુ વિકીએ પોતાની રમતથી દર્શકોની સાથે સાથે બિગ બોસને પણ ચોંકાવી દીધા હતા. વિક્કીએ પોપ્યુલર યુટ્યુબર અને એક્ટર્સમાં પોતાની જાતને સાબિત કરી છે. પબ્લિક હોય કે સેલેબ્સ, દરેક તેના ફેન બની ગયા છે. એવું માનવામાં આવતું હતું કે વિકી શોના ટોપ 5 ફાઇનલિસ્ટમાંથી એક હશે. પણ એવું ન થયું. નિર્માતાઓએ વિક્કીને ફિનાલેની રેસમાંથી બહાર કરી દીધો છે.

આ અઠવાડિયે બિગ બોસના ઘરમાં ડબલ એલિમિનેશન થયું હતુું. જેમાં આયેશા ખાન બાદ ઈશા માલવિયા શોમાંથી બહાર થઈ ગઈ હતી. ત્યાર બાદ અરુણ, મુનવ્વર, અંકિતા, મનારા, વિકી અને અભિષેક ફિનાલેના ટોપ 6 સ્પર્ધકોમાં સામેલ થયા હતા. પરંતુ બિગ બોસને ફિનાલે પહેલા શોમાં ટ્વિસ્ટ લાવવાનો હતો. તેથી જ તેણે અઠવાડીયાની વચ્ચે એક હકાલપટ્ટીનું આયોજન કર્યું હતું. તેમજ આ હકાલપટ્ટી દરમિયાન વિક્કીને શોમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે.

મુનવ્વરની આગાહી સાચી પડી
વિકીને જે પ્રકારનો પ્રતિસાદ મળી રહ્યો હતો તેના કારણે વિકીને પોતાના ઉપર ઘણો વિશ્વાસ હતો. તેને લાગ્યું કે તે જીતે કે ન જીતે, તે ટોપ 5માં પોતાનું સ્થાન ચોક્કસ બનાવશે. પરંતુ થોડા દિવસો પહેલા બિગ બોસના ઘરમાં વિકી અને મુનવ્વર વચ્ચે મોટી લડાઈ થઈ હતી. આ લડાઈમાં મુનવ્વરે વિકીને કહ્યું હતું કે ‘હું તને સુરંગ સુધી મુકવા આવીશ.’ અગાઉ મુનવ્વરે પણ સમર્થને એવું જ કહ્યું હતું કે ‘હું તને સુરંગમાં મૂકી આવીશ.’ બંને સ્પર્ધકો માટે મુનવ્વરે જે કહ્યું તે સાચું પડ્યું. વિકી અને સમર્થ બંને શોમાંથી બહાર છે.

અંકિતા લોખંડે પણ વિકીના એલિમિનેશનનું કારણ હોવાનું કહેવાય છે. અહેવાલો સામે આવ્યા છે કે નિર્માતાઓ ફિનાલેમાં અંકિતા અને વિકીના મતોમાં વિભાજન ઇચ્છતા ન હતા. આ કારણે વિક્કીને શો ની બહાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવાઇ રહ્યું છે.

Most Popular

To Top