Dakshin Gujarat

ભરૂચમાં સામૂહિક રાજીનામું આપવા નીકળેલા 100 રેશનિંગના સંચાલકોની ધરપકડ

કોરોનાવાયરસને રોકવા લોક ડાઉન ચાલી રહ્યું છે અને ૧૪૪ નું જાહેરનામું પણ પ્રસિદ્ધ હોવા છતાં ભરૂચમાં સસ્તા અનાજની દુકાનના સંચાલકો સામૂહિક રાજીનામાં આપવા ભરૂચ જિલ્લા કલેકટર કચેરીમાં પહોંચતા તમામની ૧૪૪ના ભંગ બદલ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કોરોનાવાયરસને લઇ સમગ્ર ગુજરાતમાં લોક ડાઉન ચાલી રહ્યું છે અને ભરૂચ જિલ્લા વહીવટીતંત્રને ૧૪૪ જાહેરનામું હોવા છતાં છતાં કેટલાક લોકો જાહેરનામાનો ભંગ કરી રહ્યા હોવાની ઘટનાઓ સામે આવી હતી ત્યારે હાલ તાજેતરમાં લોક ડાઉનમાં સસ્તા અનાજની દુકાન સંચાલકો દ્વારા અનાજ વિતરણ સરકારના નિયમ મુજબ કરવામાં આવી રહ્યું છે પરંતુ કેટલાક રેશન ધારકો અનાજ ન મળતું હોવાના કારણે દુકાન સંચાલકો સાથે અભદ્ર વર્તન કરી રહ્યા હોવાની ઘટનાઓ સામે આવ્યા બાદ સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ ભેગા મળી સામૂહિક રાજીનામાં ભરૂચ જિલ્લા કલેકટર સમક્ષ રજૂ કરી દેવા નીકળી પડ્ય હતા. 100 જેટલા સસ્તા અનાજની દુકાનના સંચાલકો ભરૂચ જિલ્લા કલેકટર કચેરી સંકુલમાં જ ટોળુ લઈને જતાં આ તમામની પોલીસે ૧૪૪ના જાહેરનામાના ભંગ બદલ ધરપકડ કરવામાં આવી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top