Charchapatra

બી પોઝીટીવ

આપણે સામાન્ય પ્રજા અનિષ્ટો સામે ઝૂકી રહ્યાં છીએ. કાયદા કાનૂનની અજ્ઞાનતા આપણે એકલા છીએ, કોઇનો સાથ નથી, અસંગઠિત છીએ. પાંચ આંગળીઓના મુષ્ઠીપ્રહારનો કદી ઉપયોગ કર્યો નથી, મુષ્ઠીપ્રહારનો મતલબ આપણા જેવા જ હેરાનગતિનો ભોગ બનનાર, સમદુ:ખિયાઓને સાથ આપો.

સંગઠનમાં ઘણી જ તાકાત છે. સંગઠનમાં સત્ય અને અહિંસા ભળે ત્યારે એટમ બોમ્બની તાકાત સર્જાય. ગુનાહિત સાંસદોનું ભોંય પર પછાડવાના એક જ માર્ગ રાઇટ ટુ રીકોલનો કાનૂન લાવો. આવા ગુનાહિત સાંસદોને કારણે જ મની અને મસલ પાવર ફાલ્યો છે. લોકશાહી લોકો વડે ચૂંટાય છે. ગુનાહિત સાંસદોને મની મસલ પાવરના ડરથી નાહિંમત પ્રજા વોટ આપે છે. આપણે જાતે જ અજ્ઞાનવશ ગુલામી સ્વીકારી લીધી છે. ઊઠો, જાગો અને નૈતિક હિંમતને એકઠી કરો નહિ તો પાછા ગુલામ થવાને તૈયાર રહો.

સુરત     – અનિલ શાહ     -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top