National

પોર્ટ સેક્ટરમાં સરકાર 2035 સુધી આટલાં લાખ કરોડ રૂપિયા રોકાણ કરશે: મોદીની જાહેરાત

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જાહેર કર્યુ હતું કે, સરકાર 2035 સુધીમાં પોર્ટ પ્રોજેક્ટમાં 82 અબજ ડોલરનું રોકાણ કરશે, દરિયાઇ ક્ષેત્રમાં સ્વચ્છ નવીનીકરણીય ઉર્જાના સ્ત્રોતનો હિસ્સો વધારશે, જળમાર્ગોનો વિકાસ કરશે, દરિયાઇ સેવાઓનો વિકાસ કરશે અને જેનાથી લાઇટહાઉસની આસપાસના પર્યટનને વેગ મળશે. વડાપ્રધાન મોદીએ વૈશ્વિક રોકાણકારોને ભારત પર પસંદગી ઉતારવા માટે અપીલ કરી હતી.
31 અબજ ડોલરના રોકાણની સંભાવનાવાળા 400 જેટલા પ્રોજેક્ટ્સ રોકાણકારો માટે તૈયાર છે, જે ભારતના વિકાસ માર્ગનો એક ભાગ બની શકે છે, એમ મોદીએ મેરીટાઇમ ઈન્ડિયા સમિટનું ઉદ્ઘાટન કરતાં જણાવ્યું હતું.

મોદીએ કહ્યું કે, સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ 2030 અને 2035 દરમિયાન અમલીકરણ માટે 82 અબજ ડોલર અથવા 6 લાખ કરોડના ખર્ચે 574થી વધુ પ્રોજેક્ટ્સની ઓળખ કરવામાં આવી છે. અમે પોર્ટ સેક્ટરમાં ખાનગી રોકાણને પ્રોત્સાહિત કરીશું. ભારતની લાંબી દરિયાકિનારો તમારી રાહ જોશે ભારતના મહેનતુ લોકો તમારી રાહ જોશે.
વડા પ્રધાને કહ્યું કે, અમારા પોર્ટમાં રોકાણ કરો. અમારા લોકોમાં રોકાણ કરો. ભારતને તમારું પસંદગીનું વેપાર સ્થળ બનવા દો. ભારતીય પોર્ટને વેપાર અને વાણિજ્ય માટેનો તમારો બંદોબસ્ત બનવા દો.
31 અબજ ડોલર અથવા રૂ. 2.2 લાખ કરોડની રોકાણ સંભવિત 400 રોકાણકારી પ્રોજેક્ટ્સની સૂચિ સાથે બંદરો, જહાજ અને જળમાર્ગ મંત્રાલય તૈયાર છે, એમ મોદીએ ઉમેર્યું હતું, આનાથી તેના દરિયાઇ ક્ષેત્રના સર્વાંગી વિકાસની ભારતની પ્રતિબદ્ધતાને વધુ મજબુત કરવામાં આવશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top