Dakshin Gujarat

કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો: અંકલેશ્વરમાં બે દિવસ પૂર્વે મહિલા ગુમ થઇ હતી

અંકલેશ્વર : અંકલેશ્વર (Ankleshwar) તાલુકાના આંબોલીના બોઈદરા ગામ પાસેના શેરડીના ખેતર (Sugarcane Fields) માંથી એક મહિલાની (woman) હત્યા (Murder) કરેલ લાશ મળી આવતા પોલીસ (Police) દોડતી થઇ હતી. પોલીસ તાપસના પ્રાથમિક તારણમાં બહાર આવ્યું હતું કે આ મહિલાને ગળે ટુંપો આપી મોતને મોતને ઘાટ ઉતારી દઈ હત્યા કરી દેવામાં આવી છે. અંદાજીત 55 વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપીગઈ હતી.હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધીને અજાણ્યા હત્યારા સુધી પહોંચવાના પ્રયાસો શરુ કર્યા છે.

પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના આંબોલી બોઈદરા ગામ પાસેના એક શેરડીના ખેતરમાં કુવા પાસે અંદાજીત 55 વર્ષીય મહિલાનો મૃતદેહ એક ખેત મજુરે જોયો હતો, ત્યારબાદ ગામના સરપંચને આ અંગે જાણ કરવામાં આવી હતી. સરપંચ દ્વારા શહેર પોલીસને ઘટનાની માહિતી આપવામાં આવી હતી. બનાવ અંગેનો કોલ મળતાની સાથેજ ઈન્ચાર્જ વિભાગીય પોલીસ અધિક્ષક તેમજ પોલીસ ઇન્સ્પેકટર સહિતનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો, અને તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.

મહિલાની હત્યાની ઘટના રહસ્યમય બની ગઈ
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલા ઉર્મિલાબેન ચુનીલાલ ઓડ હોવાનું તેમજ તેમની ઉંમર 55 વર્ષ હોવાનું જાણવા મળ્યું હતું અને ઉર્મિલાબેન ઓડની સાડી થી ગળે ટૂંપો આપીને હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું, પોલીસના જણાવ્યા મુજબ ઉર્મિલાબેને પહેરેલા ઘરેણાં હેમખેમ છે , તેથી તેમની હત્યાની ઘટના રહસ્યમય બની ગઈ હતી,પોલીસ દ્વારા ઉર્મિલાબેન ના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે અંકલેશ્વર ડિસ્પેન્સરી ખાતે લઇ જવામાં આવ્યો હતો, અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ રહસ્યમય હત્યા અંગેની સનસની હકીકત બહાર આવશે તેમ લાગી રહ્યું છે. હાલ શહેર પોલીસે રહસ્યમય હત્યા નો ભેદ ઉકેલવા માટે અને આરોપી હત્યારા સુધી પહોંચવા માટે એફ એસ સેલ સહિત ની ટીમની મદદ લઈને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top