Gujarat

કચ્છના ગાંધીધામ, ભચાઉમાં 2.9ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

કચ્છ: કચ્છમાં (Kutch) વારંવાર ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાતા હોય છે. ત્યારે આજે એટલે કે બુધવારે કચ્છના ભચાઉમાં (Bhachau) જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગાંધીધામમાં ભેદી ધડાકાનો અવાજ આવતા ભયનો માહોલ ફેલાયો હતો. ગાંધીધામ, આદિપુર, ભચાઉ અને અંજાર સહિત આસપાસના વિસ્તારોમાં ધરતી ધ્રૂજી ઉઠી હતી. 2.9 તીવ્રતા સાથે આવેલા ભૂકંપના આંચકાથી લોકો ગભરાયને ઘરની બહાર દોડી આવ્યા હતા. આ ભૂકંપનો કેન્દ્રબિંદુ 16 કિલોમીટર દૂર નોંધાયું હતું. આ અગાઉ વલસાડ (Valsad) જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અને આ પહેલા કચ્છના ખાવડામાં (Khawada) પણ ભૂકંપનો આંચકા અનુભવાયા હતા.

મળતી માહિતી અનુસાર 11 જાન્યુઆરી બુધવારે કચ્છના ગાંધીધામ, અંજાર, આદિપુર ભચાઉમાં સવારે 10.57 વાગ્યેના આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. આ ભૂકંપના આંચકાની તીવ્રતા 2.9 નોંધવામાં આવી છે તેમજ તેનું કેન્દ્રબિદું ભચાઉથી 16 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળ્યું છે. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ગભરાયને ઘરની બહાર દોડી આવ્યા હતા. આ અગાઉ પણ વલસાડ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારે 10 ડિસેમ્બરે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

આ અગાઉ 5 ડિસેમ્બરે કચ્છના ખાવડાથી 28 કિલોમીટર દૂર ઉત્તરી વિભાગમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લગભગ 4.17 વાગ્યે 3.2નો ધરતીકંપ રાજ્યના સિસ્મોલોજી સેન્ટરમાં નોંધાયો હતો. કચ્છમાં મોટી ફોલ્ટલાઈન છે તેથી ત્યાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે. પરંતુ 5 ડિસેમ્બરે આવેલો ભૂકંપ જમીનથી માત્ર 5.9 કિ.મી ઉંડાઈએ ઉદભવ્યો હતો, તેથી આ ભૂકંપને ગંભીર ગણવામાં આવ્યો હતો. વર્ષોથી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે. તેથી લોકોમાં ગભરાત જોવા મળે છે.

બનાસકાંઠામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા
આ અગાઉ 10 ડિસેમ્બરે બનાસરકાંઠા જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બપોરે 4.30 વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ગભરાયને ઘરની બહાર દોડી આવ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર 20 સેકેન્ડ સુધી ભૂકંપનો અનુભવ થયો હતો. અચાનક જ ધરા ધ્રુજી જતા લોકો ગભરાયને ઘરની બહાર દોડી આવ્યા હતા.

વલસાડમાં ભૂકંપના આંચકો અનુભવાયા
1 ડિસેમ્બરે વલસાડ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. વલસાડમાં 3.3 તીવ્રતાની સાથે ઉપરાઉપરી બેવાર ભૂંકપના આંચકા અનુભવાતા લોકોમાં ડર પ્રસરી ગયો હતો. લોકો ઘરની બહાર દોડીને આવી ગયા હતા. આ પહેલા પણ નવસારી જિલ્લામાં 15 દિવસમાં ત્રણ વાર ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ગભરાય ગયા હતા.

Most Popular

To Top