Entertainment

આદિપુરુષ: દરેક થિયેટરમાં એક સીટ હનુમાનજી માટે રિઝર્વ રહેશે!

મુંબઈ: પ્રભાસના (Prabhash) ફેન્સ માટે જૂન મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. અભિનેતાની ફિલ્મ આદિપુરુષ (Aadipurush) લાંબી રાહ જોયા બાદ 16 જૂને રિલીઝ થશે. ફિલ્મનું પ્રમોશન શરૂ થઈ ગયું છે. રામાયણ (Ramayan) પર આધારિત આદિપુરુષની રિલીઝ પહેલા નિર્માતાઓએ મોટી જાહેરાત કરી છે.

આદિપુરુષના મેકર્સનો મોટો નિર્ણય નિર્માતાઓએ નિર્ણય લીધો છે કે ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન દરેક થિયેટરમાં એક સીટ ખાલી રહેશે. આ સીટ ભગવાન હનુમાનને સમર્પિત કરવામાં આવશે. ભગવાન હનુમાન પ્રત્યે લોકોની આસ્થાની ઉજવણી કરવાના હેતુથી આ કરવામાં આવશે.

નિર્માતાઓના નિવેદનમાં લખ્યું છે જ્યારે પણ રામાયણનો પાઠ કરવામાં આવે છે ત્યારે ભગવાન હનુમાન ત્યાં દેખાય છે. આ અમારી માન્યતા છે. આ માન્યતાને માન આપીને, આદિપુરુષના દરેક સ્ક્રીનિંગ દરમિયાન વેચાણ વિના એક સીટ અનામત રાખવામાં આવશે. રામના સૌથી મોટા ભક્તનું સન્માન કરવાના હેતુથી આ નિર્ણય લેવાયો છે.

ઓમ રાઉતની ફિલ્મ આદિપુરુષ અનેક ભાષાઓ (તેલુગુ, તમિલ, હિન્દી, મલયાલમ અને કન્નડ)માં રિલીઝ થશે. ઓમ રાઉતે આ ફિલ્મનું દિગ્દર્શન અને લેખન પણ કર્યું છે. આ ફિલ્મમાં પ્રભાસ રામના રોલમાં જોવા મળશે. કૃતિ સેનન સીતાની માતાની ભૂમિકા ભજવશે. સૈફ અલી ખાન રાવણનું પાત્ર ભજવી રહ્યો છે. હનુમાનનું પાત્ર મરાઠી અભિનેતા દેવદત્ત નાગે ભજવી છે અને તમને સની સિંહ લક્ષ્મણના રોલમાં જોવા મળશે.

આદિપુરુષ એક મોટા બજેટની ફિલ્મ છે. આ ફિલ્મ 500 કરોડમાં બની છે. જ્યારથી ફિલ્મનું ટીઝર રિલિઝ થયું છે. ત્યારથી તે ટ્રોલ થવા લાગી. પ્રભાસ-સૈફ અલી ખાનના લુકને લઈને ઘણો વિવાદ થયો હતો. ફિલ્મના VFXની મજાક ઉડાવવામાં આવી હતી. ભારે હોબાળાને કારણે, નિર્માતાઓએ ફિલ્મના VFX પર ફરીથી કામ કર્યું. આ ફિલ્મનું ટ્રેલર ઘણી તૈયારી સાથે રિલીઝ કરવામાં આવ્યું છે. જેને જોયા બાદ અનેક લોકોની નારાજગી દૂર થઈ ગઈ હતી. હવે જોવાનું એ રહેશે કે ફિલ્મ રિલીઝ થયા બાદ કેવો રિસ્પોન્સ આપે છે.

Most Popular

To Top