World

પાકિસ્તાન: પેશાવરની મસ્જિદમાં નમાઝ બાદ જોરદાર બ્લાસ્ટ, 80થી વધુના મોત, 150 ઘાયલ

નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) પેશાવર (Peshawar) શહેરમાં મોટા વિસ્ફોટના (Blast) સમાચાર સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે બ્લાસ્ટ મસ્જિદની (mosque) અંદર થયો હતો. આ બ્લાસ્ટમાં 28 લોકોના મોત તેમજ 150થી વધુ લોકો ઘાયલ (Injured) થયા હોવાનું સામે આવ્યું છે. બ્લાસ્ટને કારણે મસ્જિદનો એક ભાગ ધરાશાયી થયો છે. પેશાવરમાં પોલીસ લાઈન્સ પાસે આવેલી મસ્જિદમાં જોહરની નમાજ બાદ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે મસ્જિદની એક બાજુનો આખો ભાગ ધરાશાયી થઈ ગયો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બ્લાસ્ટ બાદ અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

પેશાવરની લેડી રીડિંગ હોસ્પિટલ (LRC)ના પ્રવક્તા મોહમ્મદ આસિમે જણાવ્યું કે ઘાયલોને હજુ પણ હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે, કેટલાક લોકોની હાલત ગંભીર છે. આ વિસ્તારને સંપૂર્ણ રીતે કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને માત્ર એમ્બ્યુલન્સને જ અંદર જવા દેવામાં આવી રહી છે. પોલીસ અધિકારી સિકંદર ખાને જણાવ્યું કે ઈમારતનો એક ભાગ પડી ગયો છે. ઘણા લોકો તેની નીચે દટાયા હોવાની આશંકા છે. મળતી માહિતી અનુસાર, વિસ્ફોટ લગભગ 1:40 વાગ્યે થયો હતો. વિસ્ફોટની માહિતી મળ્યા બાદ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને તેની નિંદા કરી છે.

પ્રાથમિક માહિતી અનુસાર બ્લાસ્ટ પોલીસ લાઇન્સમાં બનેલી મસ્જિદની અંદર થયો હતો. અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા છે અને 30 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. ઘણા લોકો માર્યા જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પાકિસ્તાની સેનાએ વિસ્તારને ઘેરી લીધો છે. તેની નજીક આર્મી યુનિટની ઓફિસ પણ છે.

મળતી માહિતી અનુસાર, બ્લાસ્ટનો અવાજ ખૂબ જ જોરદાર હતા કારણે કે તેનો અવાજ 2 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. પોલીસ લાઈન્સમાં હાજર લોકોનું કહેવું છે કે બ્લાસ્ટ બાદ ધૂળ અને ધુમાડાના વાદળો જોવા મળ્યા હતા. આ પછી ફાયરિંગના અવાજો આવવા લાગ્યા હતો.

આ પહેલા પણ પાકિસ્તાનમાં મસ્જિદ પર હુમલાની ઘટના બનતી રહી છે. 16 મે 2022ના રોજ પાકિસ્તાનના કરાચીમાં વિસ્ફોટ થયો હતો. એમએ જિન્નાહ રોડ પર મેમણ મસ્જિદ પાસે વિસ્ફોટ થયો હતો, જેમાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે 8 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં એક પોલીસકર્મીનો પણ સમાવેશ થાય છે.

અગાઉ કરાચીમાં બ્લાસ્ટ થયો હતો
13 મે 2022ની રાત્રે બોમ્બ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે 13 લોકો ઘાયલ થયા છે. આ બ્લાસ્ટ કરાચીના સૌથી વ્યસ્ત કોમર્શિયલ વિસ્તાર સદરમાં થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે બ્લાસ્ટ એક હોટલની બહાર ડસ્ટબીનમાં થયો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે વિસ્ફોટ એટલો ભયંકર હતો કે આસપાસના એપાર્ટમેન્ટ, દુકાનો, કારની બારીઓના કાચ તૂટી ગયા અને આગ લાગી ગઈ.

Most Popular

To Top