National

ઉત્તરપ્રદેશમાં થયો બદાયું કાંડ, ઘરમાં ઘુસી બે ઇસમોએ બે માસુમોના કાપ્યા ગળા, પછી થયુ આવુ…

લખનઉ: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બદાયુમાં (Badayu) બે બાળકોના મોતે સમગ્ર દેશને અચંબીત કરી દીધો છે. અહીં બે સગા ભાઇયોએ સાથે મળી એક હત્યાકાંડને (Massacre) અંજામ આપ્યો હતો. જેમાં તેઓએ સાથે મળીને બે માસુમોને મોતને ઘાટ ઉતારી દીધા છે. તેમજ ઘટનાની જાણ થતા જ યુપી પોલીસ (UP Police) તરત જ એક્શનમાં આવી હતી, અને આરોપીનું એનકાઉન્ટર (Encounter) કર્યું હતું. આ હત્યાકાંડ બાદ સમગ્ર જિલ્લાના લોકોમાં રોષનું વાતાવરણ છે. જેના કારણે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે રાત્રે સાજીદ અને જાવેદ નામના બે ઇસમોએ 13 વર્ષીય આયુષ અને 6 વર્ષીય અહાન નામના માસૂમ બાળકોના ઘરમાં ઘૂસીને મોતને ઘાટ ઉતાર્યા હતા. તીક્ષ્ણ હથિયારો વડે નિર્દોષ બાળકોના ગળા કાપીને હત્યા કર્યા બાદ આરોપીએ મૃતક બાળકોની માતાને કહ્યું કે ‘આજે મેં મારું કામ પૂરું કર્યું છે.’ તેમજ સમગ્ર મામલે બાળકોના પિતા વિનોદ કુમારે FIR નોંધાવી છે.

મૃતકના પિતા વિનોદ સિંહે FIR લખાવી
એફઆઈઆરમાં વિનોદ કુમારે જણાવ્યું કે સાજિદ તેના ભાઈ જાવેદ સાથે તેના ઘરની સામે વાળંદની દુકાન ચલાવે છે. ગઇકાલે મંગળવારે સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ સાજીદ તેના ભાઈ સાથે બાઇક પર ઘરે આવ્યો હતો. તે સમયે વિનોદ કુમારની પત્ની સંગીતા દેવી, માતા મુન્ની દેવી અને ત્રણ નાના બાળકો આયુષ (13), પીયૂષ (9) અને અહાન (6) ઘરમાં હાજર હતા.

ઘરમાં પ્રવેશ્યા બાદ સાજીદે સંગીતાને કહ્યું કે તેની પત્નીની ડિલિવરી થવાની છે અને ડોક્ટરે રાત્રે 11 વાગ્યાનો સમય આપ્યો છે. તેણે સંગીતા પાસેથી 5000 રૂપિયા માંગ્યા. આ દરમિયાન સાજીદનો ભાઈ જાવેદ બાઇક લઈને બહાર ઉભો હતો. સંગીતાએ પૈસા આપવાનું કહેતાં સાજીદે વચલા પુત્ર પિયુષને ગુટખા લેવા માટે બહાર મોકલી દીધો હતો.

ઘરમાં પ્રવેશ્યા બાદ સાજીદે સંગીતાને કહ્યું કે તેની પત્નીની ડિલિવરી થવાની છે અને ડોક્ટરે રાત્રે 11 વાગ્યાનો સમય આપ્યો છે. તેણે સંગીતા પાસેથી 5000 રૂપિયા માંગ્યા. આ દરમિયાન સાજીદનો ભાઈ જાવેદ બાઇક લઈને બહાર ઉભો હતો. સંગીતાએ પૈસા આપવાનું કહેતાં સાજીદે વચલા પુત્ર પિયુષને ગુટખા લેવા માટે બહાર મોકલી દીધો હતો.

દરમિયાન તબિયત ખરાબ હોવાનું કહી સાજીદ ઘરના ધાબા ઉપર ગયો હતો. તે નાના છોકરા અહાનને પણ પોતાની સાથે લઈ ગયો. ત્યારબાદ તેણે મોટા પુત્ર આયુષને પાણી લાવવા કહ્યું અને દરમિયાનમાં તેના ભાઈ જાવેદને ઘરની અંદર બોલાવ્યો.

ધાબા પર કરાયું ખૂન
આ રીતે સાજીદ, જાવેદ અને બંને છોકરાઓ (આયુષ, અહાન) ટેરેસ પર ગયા. વિનોદની પત્ની સંગીતા પૈસા લઈને બહાર આવી ત્યારે તેણે સાજીદ અને જાવેદને સીડી પરથી નીચે આવતા જોયા. તેના હાથમાં લોહીથી લથપથ છરી હતી. સંગીતાને જોતાં જ તેણે કહ્યું, ‘આજે મેં મારું કામ પૂરું કર્યું છે. આ જોઈને સંગીતાએ ડરીને બૂમો પાડી, ત્યારબાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા.

તેમજ સંગીતા ઉપરના માળે ગઈ અને બંને છોકરાઓને લોહીથી લથપથ જોયા. જે મૃત્યુ પામ્યા હતા. એટલામાં ત્રીજો છોકરો (પીયુષ) ગુટખાનું બંડલ લઈને આવ્યો. આ પછી જાવેદે પીયૂષ પર પણ હુમલો કરતા તેને હાથમાં છરીથી ગંભીર ઈજા થઈ હતી. જો કે તેનો જીવ બચી ગયો હતો.

બે આરોપીઓ માંથી એક ઠાર એક ફરાર
ઘટનાની જાણ થતા જ પોલીસ એક્શનમાં આવી હતી અને સાજીદને ઠાર કર્યો હતો. તેમજ જાવેદ ફરાર થઇ ગયો છે. જેની હાલ શોધખોળ ચાલી રહી છે. તેમજ ઘટનાની જાણ થતા જ ગામ લોકોએ ભાઇયોની ગુકાનને આગ ચાંપી દીધી હતી. હાલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top