ચૂંટણીમાં પાણીની જેમ પૈસા વાપર્યા પછી હવે મોદીજી જનતાને એક વર્ષ સોનું ન ખરીદવાની કરકસર શીખવે છે. આ અપીલથી ઝવેરાત ઉદ્યોગ પડી ભાંગશે. *દક્ષિણ ગુજરાતના 9 લાખ કારીગરો બેકાર થશે*, જેમાં મોટાભાગના બંગાળી છે. બેરોજગાર બંગાળી કારીગરો વતન જશે. બંગાળમાં ‘વિકાસ જ વિકાસ’ છે, એટલે ત્યાં એમને કામ મળશે અને *બંગાળની અસ્મિતા ઉજળી થશે.* સૌરાષ્ટ્રના કારીગરો પણ ગામડે જઈ ખેતી કરશે. આમ, ગુજરાતને બેરોજગાર કરી બંગાળનો વિકાસ કરાવવો અને ગામડા બચાવવા એ *‘માસ્ટર સ્ટ્રોક’* છે! ચેનલો આ તર્કથી અપીલને વાજબી ઠેરવશે!
સુરત – સુનીલ રાજેન્દ્ર બર્મન- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.