Gujarat

ગુજરાત સરકારનો મોટો નિર્ણય, રેશન કાર્ડ હવે ઓળખના પુરાવા તરીકે માન્ય ગણાશે નહીં

રાજ્ય સરકારે રેશન કાર્ડ અંગે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રેશનકાર્ડને હવે ગુજરાતમાં ઓળખ અથવા રહેઠાણના પુરાવા તરીકે માન્ય ગણવામાં આવશે નહીં. રેશનકાર્ડનો ઉપયોગ હવે માત્ર અનાજ અને ગેસ કનેક્શન માટે જ મર્યાદિત રહેશે.

રાજ્ય સરકારે આજે જાહેરાત કરવા સાથે સ્પષ્ટતા કરી છે કે રેશન કાર્ડ હવે સરકારી કામકાજ, બેન્કિંગ, લાઈસન્સ, પાસપોર્ટ, મતદાર નોંદણી જેવા દસ્તાવેજી પુરાવામાં સ્વીકારવામાં આવશે નહીં. આ નિર્ણયનો હેતુ દસ્તાવેજી પ્રક્રિયામાં સ્પષ્ટતા લાવવાનો છે. તેમજ વિવિધ દસ્તાવેજોનો દુરુપયોગ અટકાવવાનો છે.

સરકાર અનુસાર રેશન કાર્ડનો મૂળ હેતુ માત્ર લાભાર્થીઓને સબસિડી આધારિત અનાજ અને ઈંધણ જેવી જરૂરી વસ્તુઓ પુરી પાડવાનો છે.

આ નવો નિયમ લાગુ થતા લોકો માટે હવે ઓળખ અને સરનામાના પુરાવા માટે આધારકાર્ડ, પાસપોર્ટ, વીજળીનું બિલ, ડ્રાઈવિંગ લાયસન્સ અથવા અન્ય માન્ય દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. સરકાર દ્વારા આ નિર્ણય બાદ વિવિધ વિભાગોને પણ સૂચના આપવામાં આવી છે કે તેઓ કોઈપણ અરજી અથવા પ્રક્રિયામાં રેશનકાર્ડને પુરાવા તરીકે સ્વીકારશે નહીં.

Most Popular

To Top