Gujarat

અંકલેશ્વર GIDCની પ્લાસ્ટોકોન કંપનીમાં દીવાલ ધરાશયી થતા 4 કામદારોના મોત

ભરૂચ : અંકલેશ્વર જીઆઇડીસીની પ્લાસ્ટોકોન કંપનીમાં દીવાલ ધરાશાયી થવાની ઘટનામાં ચાર વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા  મોત નીપજ્યાં હતા. જ્યારે બે કામદારોને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બુધવારે  અંકલેશ્વર જીઆઇડીસીની પ્લાસ્ટોકોન કંપનીમાં કન્સ્ટ્રકશનનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન દીવાલ ધરાશાયી થતાં દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનામાં ૬ લોકો દબાઈ ગયા હતા જેના પગલે કંપનીના સત્તાધીશોએ બચાવ કાર્ય હાથ ધર્યું હતું. તે દરમિયાન દીવાલ નીચે દબાઈ જવાથી એક કામદારનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જયારે પાંચ કામદારોને બચાવી તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જે દરમિયાન કોન્ટ્રાક્ટર સહીત અન્ય ત્રણ કામદારોનું મોત નીપજ્યા હતા. જયારે અન્ય બે કામદારો સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે બનાવને પગલે જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top