National

ઓક્સિજનની તંગીના કારણે કર્ણાટકની હોસ્પીટલમાં 24 દર્દીના મોત

સોમવારે કર્ણાટકમાં ઓક્સિજન ( oxygen) ની તંગીના કારણે ઓછામાં ઓછા 24 કોવીડ -19 ( covid 19) દર્દીઓનાં મોત નીપજ્યાં છે.આ ઘટના ચામારાજનગર જિલ્લા હોસ્પિટલમાં બની હતી. કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓ વેન્ટિલેટર પર હતા.

24 કલાકથી ઓછા સમયમાં આવી બીજી ઘટના છે.
શનિવારે, કલાબૂર્બીની કેબીએન હોસ્પિટલમાં ઓક્સિજનની તંગીથી ચાર કોવિડ દર્દીઓનું મોત નીપજ્યું હતું. તે પહેલાં, વીજળી બંધ થયા બાદ યાદવીરની સરકારી હોસ્પિટલમાં એક કોવિડ દર્દીનું મોત નીપજ્યું હતું.
છેલ્લા કેટલાક અઠવાડિયામાં, દેશભરની હોસ્પિટલોમાં ઓક્સિજનની ભારે તંગીનો સામનો કરવો પડતાં કેટલાંક દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.ગયા અઠવાડિયે, દિલ્હીની બત્રા હોસ્પિટલમાં ઓક્સિજનની અછતને કારણે આઠ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.દરમિયાન, કર્ણાટકમાં કુલ કોરોના વાયરસ કેસ 16-લાખના આંકડાને વટાવી ગયો છે.

Most Popular

To Top