Vadodara

શાશ્વત પ્રભાવ વિષયક વક્તવ્યથી યુવાઓને પ્રેરણા પિયુષ પીવડાવતા અપૂર્વ મુનિ સ્વામી

વડોદરા.
બી એ પી એસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે આજરોજ આંતરરાષ્ટ્રીય યુવા દિને તથા આગામી ફેબ્રુઆરી મહિનામાં વડોદરા ખાતે ઉજવાનાર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ૯૨ મી જન્મ જયંતી નિમિત્તે યુવા/ યુવતીઓ માટે યોજાયેલી ખાસ સભામાં ઉપસ્થિત આશરે પાંચ હજારથી વધુ યુવા યુવતીઓને પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામીએ પોતાના વક્તવ્ય દ્વારા ના કેવળ મંત્ર મુગ્ધ કર્યાં હતા પરંતુ ચારિત્ર, ઈમાનદારી, સમયપાલન, નિયમિતતા વિગેરે સદગુણો કેળવી પર્સનાલિટી નિખારવાની અદ્ભુત શિખ આપી હતી.

શાસ્ત્રો ના ઉદાહરણો ટાંકી તેઓએ જણાવ્યું હતું કે સહત્રાબ્દીઓ અગાઉના બે પાત્રો રાવણ અને શબરી ની ભૌતિક સંપતિની તુલના જ શક્ય નથી તેમ છતાં આજે પણ લોકો શબરીને જ આદર આપે છે.

પ્રભાવ પાડવા માટે ત્રણ મુખ્ય પરિબળો હોય છે. એક *વેશભૂષા* કે જે ક્ષણ ભંગુર હોય છે. કોઈ વ્યક્તિ કદાચ અતિ સારું શરીર કે ફેશનેબલ વસ્ત્રો પરિધાન કરે પણ ચરિત્ર સારું ન હોય તો તેની કોઈ કિંમત રહેતી નથી. બીજું પરિબળ છે *વાણી* કદાચ વાણી થી કોઈ પર પ્રભાવ પડે પરંતુ જો આપણા જીવનમાં સદગુણો ન હોય તો તેની અસર રહેતી નથી. ત્રીજુ અંતિમ પરિબળ છે *વર્તન* જેનો પ્રભાવ શાશ્વત રહે છે. વેશ અને વાણી કદાચ એકદમ સામાન્ય હોય તો પણ અષ્ટાવક્ર ઋષિ, શબરીબાઈ, નરસિંહ મહેતા થી લઈ સરદાર વલ્લભભાઈ પટેલ નો પ્રભાવ હોય કે અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ હોય તેમનો સમાજ પર પ્રભાવ શાશ્વત રહેશે એનું કારણ છે તેઓનું સ્પોટલેસ કેરેક્ટર.

Most Popular

To Top