Vadodara

બ્રહ્માનગર પાછળના મેદાનમાંથી યુવકનો હત્યા કરી ત્યજી દેવાયેલો મૃતદેહ મળ્યો

વડોદરા: શહેરના સયાજીપુરા વિસ્તારમાં આવેલા બ્રહ્મા નગર પાછળના મેદાનમાં એક યુવકની ભેદી સંજોગોમાં હત્યા કરેલી લાશ મળી આવી હોવાના બનાવથી ભારે ચકચાર મચી જવા પામી છે.બનાવમા હરણી પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ છતી થઇ છે.જ્યારે હત્યા કોણે કરી છે અને હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવાના પ્રયાસો હાથ ધર્યા છે.

શહેરના  સયાજીપુરા વિસ્તારમાં બ્રહ્મા નગર પાછળ આવેલા મેદાનમાંથી આજે અજાણ્યા યુવકની લાશ ભેદી સંજોગોમાં મળી આવી હોવાના બનાવની જાણ પોલીસને થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મરનાર અજાણ્યા યુવક વિશે પુછપરછ હાથ ધરવામાં આવી હતી.

જેમાં મરનાર અજાણ્યો શખ્સ અનીલ યાદવ કલરકામ કરતો હતો અને તેના માથાના ભાગે ઇજા પહોંચાડી હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાય છે.પોલીસે મરનાર અનીલ યાદવના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે.જોકે હાલમાં અનીલ યાદવની હત્યા કોણે કરી છે.

હત્યા પાછળનું કારણ શું છે.તે તરફ પોલીસે તપાસ હાથ ધરી છે.આ બનાવની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.જોકે આ બનાવ અંગે પોલીસે સ્થાનિક લોકોના નિવેદન લેવાની કામગીરી શરૂ કરી છે.હાલના તબક્કે હત્યાનું રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top