Business

બોરસદમાં બાઇક સ્લીપ થતાં ચાલકનું મોત

દાવોલથી હરિપુરા રોડ પર અકસ્માત સર્જાયો

બોરસદના દાવોલથી હરિપુરા રોડ પર પુરપાટ ઝડપે જતા બાઇકના ચાલકે અચાનક સ્ટેયરીંગ પર કાબુ ગુમાવતાં વાણીયાપુરા ભાથીજી મંદિર સ્લીપ થઇ ગયું હતું. પાંચેક દિવસ પહેલા બનેલા બનાવમાં ચાલકને ગંભીર ઇજા પહોંચી હતી અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું. આ અંગે બોરસદ શહેર પોલીસે તપાસ હાથ ધરી છે.
બોરસદના દાવોલ ગામમાં રહેતા જશભાઈ રણભાઈ જાદવ 28મી ફેબ્રુઆરીના રોજ સવારના કામ અર્થે ઘરેથી નિકળ્યાં હતાં. આ દરમિયાન તેમને જાણવા મળ્યું હતું કે, તેમનો પુત્ર કિરણ (ઉ.વ.30) બાઇક લઇને દાવોલથી હરિપુરા રોડ પર પુરઝડપે જતો હતો તે સમયે વાણીયાપુરા નજીક સ્લીપ થઇ જતાં ગંભીર રીતે ઘવાયો છે. જેને સારવાર અર્થે બોરસદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાંથી હાલત વધુ ગંભીર જણાતા પ્રથમ કરમસદ અને બાદમાં વડોદરા એસએસજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ રસ્તામાં જ તેનું મૃત્યું નિપજ્યું હતું. આ અંગે બોરસદ શહેર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાસદ – બગોદરા હાઈવે પર વૃદ્ધનું મોત (બોક્સ)
વાસદ – બગોદરા હાઈવે પર વહેરા બ્રિજથી અશોક પાર્કની વચ્ચે પુરપાટ ઝડપે જતાં અજાણ્યા વાહને એક 60 વર્ષિય વૃદ્ધને ટક્કર મારતાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top