Vadodara

કોરોનાને કારણે વધુ એકનું મોત

વડોદરા, તા. ૧૬

સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો હતો પરંતુ છેલ્લા કેટલાક સમયથી કોરોના ના કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો ત્યારે આજે સારવાર મેળવી રહેલા વધુ એક વૃદ્ધા નું કોરોનામાં મોત નીપજ્યું હતું.નાગરવાડા વિસ્તારમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધાને કિડની સહિતની અન્ય બીમારીઓ સાથે કોરોના નો રિપોર્ટ પણ પોઝિટિવ જોવા મળ્યો હતો. જેથી તેઓ નર હરી હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા હતા પરંતુ તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે આવ્યા હતા જ્યાં તેઓનું સારવાર દરમિયાન આજે મોત નિપજ્યું હતું

Most Popular

To Top