Charotar

આંકલાવ પાસે કાર ટક્કરે બાઇક સવારનું મોત

નવાખલનો યુવક તેના મિત્રને ઘરે મુકવા જતો હતો તે સમયે અકસ્માત સર્જાયો

આંકલાવના નવાખલ ગામથી માનપુરા રોડ પર પુરપાટ ઝડપે જતી કારે બાઇકને ટક્કર મારતાં તેના પર સવાર વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચી હતી. આ અંગે આંકલાવ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

આંકલાવના નવાખલ ગામમાં રહેતા શૈલેષભાઈ રાજેશભાઈ ઠાકોર ખેતી કામ કરે છે અને તેઓએ તેમના પિતાના નામે બાઇક ખરીદ્યું હતું. શૈલેષ 30મી માર્ચના રોજ સાંજના સુમારે તેના મિત્ર ચેતન બુધાભાઈ ઠાકોર (રહે. નવાખલ) સાથે બાઇક લઇને નવાખલ ચોકડીએ ગયા હતા અને થોડીવાર પછી શૈલેષ અને ચેતનને તેના ઘરે મુકવા બાઇક પર નિકળ્યાં હતાં. તેઓ નવાખલ પાણીની ટાંકીથી નવાખલ – માનપુર રોડ જોગણી માતાના મંદિર નજીકથી પસાર થતાં હતાં, તે વખતે સાડા દસેક વાગ્યાના સુમારે પુરપાટ ઝડપે કાર ધસી આવી હતી અને શૈલેષના બાઇક સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં શૈલેષ અને ચેતન બન્ને રસ્તા પર પટકાયાં હતાં અને તેમને ગંભીર ઇજા પહોંચી હતી. જેમાં ચેતનને માથાના પાછળના ભાગે ગંભીર ઇજ થવાથી બેભાન થઇ ગયો હતો. આ અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી આવ્યાં હતાં અને 108ની મદદથી બન્નેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. જ્યાં આંકલાવ સીએચસીમાં ચેતનનું સારવાર દરમિયાન મૃત્યું નિપજ્યું હતું. આ અંગે શૈલેષ ઠાકોરે કાર નં.જીજે 23 સીસી 1528ના ચાલક સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top