Gujarat

14 મે થી રાજ્યમાં 45થી વધુની વયના લોકો માટે રસીકરણ ત્રણ દિવસ બંધ

કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે કોરોના સામેની કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો 12 થી 16 અઠવાડિયાનો રાખવાની માર્ગદર્શિકા આજે જાહેર કરી છે. જેના સંદર્ભમાં રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવીએ જણાવ્યું હતું કે, આ માર્ગદર્શિકાને પગલે ગુજરાતમાં પણ વેક્સિનેશન શેડ્યુલને રી-શેડ્યુલ કરવાની કામગીરી હાથ ધરવાની થાય છે.


ડૉ જયંતિ રવિએ કહ્યું હતું કે આના પરિણામે સમગ્ર રાજ્યમાં આવતીકાલ તારીખ 14 મે 2021થી ત્રણ દિવસ માટે 45થી વધુની વયના લોકો માટેની રસીકરણ કામગીરી મોકૂફ રાખવામાં આવશે. 45 વર્ષથી વધુ વયના લોકો માટેની રસીકરણ કામગીરી સોમવાર તારીખ 17 મે 2021થી કેન્દ્ર સરકારના દિશાનિર્દેશો અનુસાર ફરી શરૂ કરવામાં આવશે.

18 થી 45 વયના જેમને એસ.એમ.એસ મળ્યો હોય તેને આ ત્રણ દિવસ દરમિયાન રસી આપવામાં આવશે
18 થી 45 વયજૂથમાં જેમને એપોઈમેન્ટ શેડ્યુલ અપાઈ ગયા છે અને રસીકરણ અંગેનો એસ.એમ.એસ જેમને મળ્યો છે તેવા લોકો માટે જ રસીકરણની કામગીરી આ ત્રણ દિવસો દરમિયાન કરવામાં આવશે.

Most Popular

To Top