Vadodara

વાઘોડિયામાં બે દીકરીની માતાએ સાસરિયાના ત્રાસથી ફાંસો ખાધો

વડોદરા: પતિ અને સાસુ સસરાના ત્રાસથી કંટાળેલી બે માસૂમ દીકરીની માતાએ પોતાને લઈ જવા ફોન કર્યો.પરંતુ માતાએ એક દિવસનો વાયદો કરતા 24 વર્ષની પરિણીતાએ ગળેફાંસો ખાઈ પોતાની સોળ તાણી લીધી હોવાનો ચકચારી બનાવ બનતા પોલીસે મૃતકની માતાની ફરિયાદના આધારે ત્રણ સામે ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.


પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હાલોલના આંબા તળાવ ગામે રહેતા પ્રેમીલાબેન પરમાર ઉંમર વર્ષ 52 ના પતિનું એક વર્ષ અગાઉ નિધન થયું હતું.છેલ્લાં પંદર વર્ષોથી રોયલ કુસન્ટ કંપનીમાં નોકરી કરી બંને સંતાનોને મોટા કરનાર પ્રેમીલાબેને બીજી નંબરની દીકરી અનિતાને ચાર વર્ષ અગાઉ વાઘોડિયા તાલુકાના ગામે રહેતા અજય પરમાર સાથે પરણાવી હતી.

લગ્ન ગાળાના સમયગાળા દરમિયાન તેને એક 2 વર્ષની અને એક 1 વર્ષની દીકરી છે.અજય કોઈ કામ ધંધો કરતો ન હોવાથી બંને વચ્ચે અવારનવાર તકરાર થતી હતી.જેથી અનિતા મકરસંક્રાંતિના તહેવાર પર પોતાના પિયર ગઈ હતી અને પરત સાસરે જવાનો ઈન્કાર કરતી હતી.


જોકે તેની માતા અને ભાઈ એ તેને સમજાવી ગત તારીખ 32મી ના રોજ સાસરીમાં પરત મૂકી આવ્યા હતા.ત્યારે પણ જમાઈ અજય પરમારે પાછી કેમ આવી તેમ કહી ઝઘડો કર્યો હતો.જોકે સમજાવટથી મામલો થાળે પાડી અનિતાને સાસરે મૂકી માતા-પુત્ર પરત ફર્યા હતા.આ ઘટનાના 48 કલાક બાદ ફરી તેની માતા ઉપર ફોન આવ્યો હતો.

ત્યારે પ્રેમીલાબેન બીજા દિવસે નિલેશ ને લેવા મોકલીશ તેમ વાત કરી હતી. જોકે નિલેશ પોતાની બહેનને લેવા જાય તે પહેલાં બે દીકરીની માતા અનિતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.ત્યારે વેવાઈનો પ્રેમીલાબેન ઉપર ફોન જતાં તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.


સવારના સાડા દસથી અગિયાર માં બનેલી આ ઘટના સંદર્ભે પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે. કે. બાવીસ્કરે પ્રેમીલાબેનની ફરિયાદના આધારે પતિ અજય પરમાર તેના પિતા ભાઈલાલ પરમાર અને માતા તારાબેન પરમાર સામે આપઘાતની દુષ્પ્રેરણા આપવાનો ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top