Vadodara

ન્યાય મંદિર પાસે યુવકને માર મારી પથ્થરમારો કરી કરનાર ત્રણ વિધર્મી ઝડપાયાં

વડોદરા: ન્યાયમંદિર વિસ્તારમાં ત્રણેક દિવસ પહેલા એક્ટિવાને બાઇ઼ક અડકી જતા યુવકે જોઇને ચલાવ તેવું કહ્યું હતું ત્યારે એક્ટિવા સવાર ત્રણ યુવકો તેને માર માર્યો હતો. ત્યારબાદ આગળની જઇને પથ્થરમારો કરી કોમી વાતાવરણ ઉભી કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી સીસીટીવી ફૂટેજના આધારે ત્રણ જણાને ઝડપી પાડવામાં આવ્યા છે. શહેરના ચોવીસ કલાક ટ્રાફિકથી ધમધમતા ન્યાય મંદિર પાસે રાત્રીના સમયે ઘણી ખાણીપીણી સહિતની લારીઓ ધમધમતી હોય છે. જેથી યુવાનો ત્યાં રાત્રે પણ આવતા હોય છે. ક્યારે ઝઘટા પણ થતા હોય છે.

ત્યારે ત્રણ દિવસ પહેલા આ વિસ્તારનો યુવકે એક્ટિવા લઇને જતો હતો ત્યારે સામેથી આવતી બાઇક એક્ટિવાને ટચ થઇ ગઇ હતી. જેથી એક્ટિવા પર યુવક જોઇને ચલાવ તેવું કહેતા બાઇક પર સવાર ત્રણ જણા ઉશ્કેરાઇ ગયા હતા અને આવીને યુવકને માર માર્યો હતો અને ત્યારબાદ પથ્થર મારો કરી શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે રાત્રીના સમયે દુધવાલા મહોલ્લા પાસે કોમી થયું હોવાની હોવાની વાત વાયુ વેગે ફેલાતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો.

જેમાં પોલીસે બાઇક સવાર ત્રણ લોકો સામે ગુનો દાખલ કરી તેમની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન સ્થળ પરના સીસીટીવી ફૂટેજના આધારે શંકાસ્પદ ત્રણ યુવક તરીકે નઇમ ઉર્ફે ગોટુ અસદ બિલ્લાવાલા (રહે.સુપર બેકરી સામે આજવા રોડ )સરફરાજ ઇસ્માઇલ બિલ્લાવાલા (રહે. ચુડીવાલી ગલી દૂધવાળો મહોલ્લો,અને હાલ રહે ચોરાની સામે પાન ગુલાબ પાર્લરની સામે યાકુતપુરા અજબલડી મિલ) અને મોહમ્મદરફીક જાવેદહુસેન માંકડાવાલા (રહે. ચીતારાવાડ મસ્જિદની સામે ચિતારાવાડ સુલતાનપુરા વડોદરા ) ઝડપી પાડવામાં આવ્યા છે. તેમને રાવપુરા પોલીસ સ્ટેશનમાં લઇ આવી પૂછપરછત કરતા પથ્થરમારો કરી વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યામાં સંડોવણી બહાર આવી હતી. તેમની અટક કરાઇ છે.

Most Popular

To Top