Madhya Gujarat

મધ્યાહન ભોજનમાં જીવાત નીકળતા હોબાળો

ફતેપુરા : સંજેલી તાલુકામાં પ્રથમ સત્ર શરૂ થતા જ શાળા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને બાળકો ને મધ્યાન ભોજન સંચાલકો દ્વારા જમવાનું પીરસવામાં આવી રહી છે. સંજેલી તાલુકાના સરોરી મુખ્ય પ્રાથમિક શાળામાં બાળકોને જમવા મા ભોજન પીરસ્તા અચાનક રાંધેલા ભાત માં ઇયળો જોવાતા બાળકો ચોંકી ઉઠ્યા હતા અને આચાર્ય તેમજ વાલીઓ ને જાણ કરતા હોભાળો મચ્યો હતો.

રાંધેલા ભાત તે જીવાત મળી આવતાં અનાજનો જથ્થો તપાસ કરતા જીવાંત પડી હોવાનું ધ્યાને આવતા આચાર્ય એ મામલતદારને જાણ કરાઈ હતી.રાંધેલા જમવાનું ફેંકી દેવાતા બાળકોને ભૂખ્યા પેટે ઘરે જવા નો વારો આવ્યો. દરરોજ શાળાના આચાર્ય તેમજ શિક્ષકોએ એક સમિતિ બનાવી અને બાળકોને જમવા માટે આપવાનું જમણમાં એની ગુણવત્તા ચેક કરવામાં આવતી હોય છે પરંતુ બાળકોને જમવામાં ઈયળ ઈયળ જોવાય તો આ સમિતિએ શું ચેક કર્યું તેમજ બાળકોને યોગ્ય પ્રમાણમાં જમવાનું આપવામાં આવે છે કે કેમ તે પણ બાબતે પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી તેવી પણ લોકોમાં ચર્ચા ઉઠી છે.

રાંધેલા ભાતમાં જીવાત નીકળતા જાણ થઈ હતી તે બાદ જથ્થો ચેક કરાતા નાની ઇયળ જોવા મળતા મામલતદાર ની જાણ કરી જે બાદ નવો જથ્થો સોમવારે ફાળવવામાં આવશે. તેમજ આ બાબતે શાળા કક્ષાએ smc તેમજ વાલીઓની બેઠક બોલાવવામાં આવશે મહેશ પટેલ આચાર્ય સરોરી પ્રાથમિક શાળા સરોરી મુખ્ય પ્રાથમિક શાળામાં બાળકો જમવા માટે બેસાડતા જ રાંધેલા ભાત પીસરતા બાદમાં રાંધેલા ભાતમાં ઇયળ જોવા મળતા આચાર્ય જાણ કરી હતી તેમજ શાળા કક્ષાએ પણ વાલીઓ ભેગા થઈ અને બાબતે રજુઆત કરી હતી

Most Popular

To Top