Madhya Gujarat

મહિસાગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા સામ્યવાદી પક્ષની માગણી

સંતરામપુર : સંતરામપુરમાં સામ્યવાદી પક્ષ (માર્ક્સવાદી), સીપીઆઈ (એમ) દ્વારા રેલી કાઢવામાં આવી હતી. આ રેલી મામલતદાર કચેરી પહોંચી મહિસાગર જિલ્લાને અછતગ્રસ્ત કે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગણી કરી હતી. આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે,  વરસાદ અપુરતો પડેલો હોવાથી પાકને નુકશાન થયું હોઈ અને વરસાદ ખેંચાતા સમયસર વરસાદ ન થતાં વિકટ પરિસ્થિતિ ઊભી થઇ છે. મહિસાગર જીલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અને ખેડુતોના સરકારી અને સહકારી દેવા માફ કરવા, પાકના નુકશાનનો સર્વેની કામગીરી કરાવી, ખેડુતોને નુકશાનનું વળતર ચુકવવા, રાહતકામો શરૂ કરાય, સિંચાઈ અને પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવા, કિસાન વિરોધી ત્રણ કાળા કાયદા રદ કરવા, શિક્ષણનું ખાનગીકરણ બંધ કરવા, જંગલની જમીનો ખેડુતોને સોંપવા સહિતની વિવિધ પ્રકારની માંગણીઓ દર્શાવી હતી.

Most Popular

To Top