National

ટીમ ઈન્ડિયાના વધુ બે ખેલાડીઓ કોરોના પોઝિટિવ, કૃણાલ પંડ્યાના સંપર્કમાં આવ્યા હતા

ટીમ ઇન્ડિયા (Team India)ના સ્પિનરો યુઝવેન્દ્ર ચહલ (Chahal) અને કૃષ્ણપ્પા ગૌતમ (Gautam)ને પણ કોરોના વાયરસ (Corona virus)નો ચેપ લાગ્યો છે. આ બંને ખેલાડીઓ શ્રીલંકા (Srilanka)ના પ્રવાસે ગયેલી ટીમ ઇન્ડિયાનો ભાગ છે. જાણવા મળ્યું છે કે યુઝવેન્દ્ર ચહલ અને કૃષ્ણપ્પા ગૌતમ ઓલરાઉન્ડર ક્રુણાલ પંડ્યા (Krunal pandya)ના સંપર્કમાં આવ્યા હતા. કૃણાલ પંડ્યાનો 27 જુલાઈએ કોરોના ટેસ્ટ કરાતા કોરોના પોઝિટિવ મળી આવ્યો હતો. 

મળતી માહિતી મુજબ કૃણાલ પંડ્યાને કોરોના ચેપ લાગ્યા બાદ તેના સંપર્કમાં આવેલ અન્ય 7 ખેલાડીઓને પણ આઇસોલેશનમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારે ચહલ અને ગૌતમ ઉપરાંત હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, પૃથ્વી શો, મનીષ પાંડે અને ઈશાન કિશન પણ કૃણાલના સંપર્કમાં આવ્યા હતા. જોકે ચહલ અને ગૌતમ સિવાય તેમનો તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. નોંધનીય છે કે આ તમામ ખેલાડીઓ શ્રીલંકા સામેની બીજી અને ત્રીજી ટી -20 માં ટીમ ઈન્ડિયાનો ભાગ નહોતા.

કૃણાલને કોરોના પોઝિટિવ મળ્યા બાદ ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટી 20 મેચ મુલતવી રાખવામાં આવી હતી. આ મેચ 27 જુલાઈએ યોજાવાની હતી, જે બાદમાં 28 જુલાઈએ રમાઈ હતી. કોલંબોમાં રમાયેલી સિરીઝની બીજી ટી -20 માં શ્રીલંકાએ ટીમ ઇન્ડિયાને 4 વિકેટે હરાવી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે 132-5 રન બનાવ્યા હતા. તેના બદલામાં શ્રીલંકાએ લક્ષ્યાંક 19.4 ઓવરમાં 6 વિકેટના નુકસાને હાંસલ કર્યો હતો. ભારત તરફથી ચાર ખેલાડીઓએ આ મેચમાં ડેબ્યૂ કર્યું હતું. તેમાં દેવદત્ત પડિકલ, નીતીશ રાણા, ઋતુરાજ ગાયકવાડ, ચેતન સાકરિયાનો સમાવેશ થાય છે.

ત્રીજી ટી 20 મેચમાં પણ ભારતની હાર 

ભારત અને શ્રીલંકા વચ્ચે સિરીઝની ત્રીજી મેચ ગુરુવારે રમાઈ હતી. શ્રીલંકાએ ત્રીજી મેચમાં ભારતને સાતથી હરાવ્યું હતું અને ટી -20ની ત્રણ મેચની સિરીઝ 2-1થી જીતી હતી. ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમ માત્ર 81 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં શ્રીલંકાએ 33 બોલ બાકી રહેતા સાત વિકેટે મેચ જીતી લીધી હતી. અને ટિમ ઇન્ડિયાના ખેલાડીઓની કોરોના સામે બચવાની હાર સાથે સિરીઝમાં પણ હાર થઇ હતી.

ધનંજય દ સિલ્વા 23 અને વાનીંદુ હસરંગા 14 રને અણનમ પરત ફર્યા હતા. ભારત માટે રાહુલ ચાહરે સારી બોલિંગ કરતા 15 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. છેલ્લી 9 દ્વિપક્ષીય ટી 20 સિરીઝમાં ટીમ ઇન્ડિયાની આ પહેલી પરાજય છે. અગાઉ આઠ સિરીઝમાંથી ભારતે સાત સિરીઝ જીતી હતી અને એક સિરીઝ ડ્રો રહી હતી.

Most Popular

To Top