Sports

T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ હશે કેપ્ટન, કોણ થયું ટીમમાંથી બહાર

T20 ક્રિકેટની (T20 Cricket) સૌથી મોટી ટૂર્નામેન્ટ T20 વર્લ્ડ કપ (World Cup) માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. IPL 2024 પછી તરત જ ટી20 ક્રિકેટ રમવાની છે. T20 વર્લ્ડ કપ 1 જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે જેની યજમાની વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા સંયુક્ત રીતે કરશે. આ ટુર્નામેન્ટ માટે BCCIએ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની કમાન રોહિત શર્મા સંભાળશે.

T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયા રોહિત શર્માની કેપ્ટનશીપમાં રમતી જોવા મળશે. જ્યારે હાર્દિક પંડ્યા વાઇસ કેપ્ટન તરીકે હશે. ટીમમાં બે વિકેટકીપરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં રિષભ પંત અને સંજુ સેમસનનો સમાવેશ થાય છે. આ સાથે જ કેએલ રાહુલને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. રાહુલ છેલ્લા T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ભાગ હતો.

T20 માટે ટીમ ઇન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર સિંહ ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ

ટ્રોફીની અપેક્ષા
ટીમ ઈન્ડિયા છેલ્લા 11 વર્ષથી કોઈ ICC ટ્રોફી જીતી શકી નથી. ભારતે છેલ્લે 2007માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ ટૂર્નામેન્ટની પ્રથમ આવૃત્તિ હતી જેમાં એમએસ ધોનીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ટૂર્નામેન્ટ જીતી હતી. આવી સ્થિતિમાં આ વખતે ટીમ ઇન્ડિયા પર લોકોની અપેક્ષા છે. ભારતીય ખેલાડીઓની નજર પણ ટ્રોફીની લાંબી રાહનો અંત લાવવા પર રહેશે.

Most Popular

To Top