Entertainment

બાલિકા વધુની ‘દાદી સા’ એ લીધી દુનિયાની વિદાય: 75 વર્ષની વયે થયું અવસાન

લોકપ્રિય શો બાલિકા વધુ (Balika vadhu) સહિતના ઘણા મોટા શો અને ફિલ્મોમાં ભાગ લેનાર પીઢ અભિનેત્રી સુરેખા સિકરી (Surekha sikri)નું 75 વર્ષની વયે અવસાન થયું છે. શુક્રવારે (16 જુલાઈ) સવારે હાર્ટ એટેક (Heart attack)થી તેનું અવસાન થયું હતું. અભિનેત્રી લાંબા સમયથી બીમાર હતી. સુરેખા સિકરીને 2020 માં બીજી વાર બ્રેઇન સ્ટ્રોક (Brain stroke) થયો હતો. ત્યારબાદ તેની તબિયત લથડતી જતી હતી. સુરેખા સિકરીને 2018 માં લકવાગ્રસ્ત સ્ટ્રોક (Paralysis) પણ થયો હતો.

ત્રણ વખત રાષ્ટ્રીય એવોર્ડ (National award) જીતનાર સુરેખા સિકરીના નિધનને કારણે બોલિવૂડ અને ટીવી કોરિડોરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. સુરેખા સિકરીના મોત પર સેલેબ્સે શોક વ્યક્ત કર્યો છે. ચાહકો સહિતના સેલેબ્સ સોશ્યલ મીડિયા પર સુરેખા સિકરીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. બાલિકા વધુમાં સુરેખા સિકરીએ દાદીસાની ભૂમિકા ભજવી હતી. સુરેખાને આ રોલમાં ખૂબ પસંદ કરવામાં આવી હતી. અભિનેત્રી તેના જોરદાર અભિનય માટે જાણીતી હતી. સુરેખાને વિદાય આપવી એ ફિલ્મ-ટીવી ઉદ્યોગ માટે સાચે જ મોટું નુકસાન છે.

સુરેખા સીકરીની કારકીર્દિ

સુરેખા સિકરીએ થિયેટર, ફિલ્મો અને ટીવીમાં ઘણું કામ કર્યું હતું. 1978 માં સુરેખાએ રાજકીય નાટક ફિલ્મ કિસા કુર્સી કાથી અભિનયની શરૂઆત કરી હતી. સુરેખાને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ત્રણ વખત રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો. તેને આ સન્માન તમસ (1988), મમ્મો (1995) અને બધાય હો (2018) માટે મળ્યો હતો. રાષ્ટ્રીય એવોર્ડ ઉપરાંત સુરેખાએ 1 ફિલ્મફેર એવોર્ડ, 1 સ્ક્રીન એવોર્ડ અને 6 ભારતીય ટેલિવિઝન એકેડેમી એવોર્ડ જીત્યા. હિંદી સિવાય સુરેખાએ મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. સુરેખાના લોકપ્રિય શોમાં પરદેશ મેં હૈ મેરા દિલ, મહાકુંભ: એક રહસ્ય, એક કહાની, સાત ફેરે: સલોની કા સફર, કેસર, બનેગી અપની બાત, કભી કભી, જસ્ટ મોહબ્બત શામેલ છે. સુરેખા સરફરોશ, નસીમ, નઝર, સરદારી બેગમ, દિલ્લગી, ઝુબૈદા, રેઇનકોટ, શીર કોરમા, દેવ ડી જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.

બાલિકા વધુથી ઓળખ મળી

સુરેખા સિકરીએ તેની લાંબી કારકિર્દીમાં ઘણી મજબૂત ભૂમિકાઓ કરી હતી. પરંતુ એક ભૂમિકા જેણે તેને દરેક ઘરની લોકપ્રિય બનાવી હતી તે બાલિકા વધુમાં કલ્યાણી દેવીની ભૂમિકા હતી. આ પછી, સુરેખાએ 2018 માં આવેલી ફિલ્મ વધાઈ હોમાં દુર્ગા દેવી કૌશિકની ભૂમિકા ભજવી હતી. આ ભૂમિકામાં પણ સુરેખાએ લોકોનું દિલ જીતી લીધું હતું. સુરેખાને આ ભૂમિકા માટે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો. સુરેખા વ્હીલ ચેર પર બેસીને રાષ્ટ્રીય પુરસ્કાર લેવા આવી હતી.

સુરેખાનો જન્મ ઉત્તર પ્રદેશમાં થયો હતો. સુરેખાએ 1971 માં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી સ્નાતક થયા. સુરેખાએ 1989 માં સંગીત નાટક એકેડમી એવોર્ડ જીત્યો હતો. સુરેખાના પિતા એરફોર્સમાં હતા અને માતા શિક્ષિકા હતી. સુરેખાએ હેમંત રેગ સાથે લગ્ન કર્યા. આ લગ્નથી તેમને એક પુત્ર છે, જેનું નામ રાહુલ સિકરી છે. સુરેખાના પતિ હેમંતનું 20 ઓક્ટોબર 2009 ના રોજ હૃદયની નિષ્ફળતાને કારણે અવસાન થયું હતું. 

Most Popular

To Top