Business

‘હું મારી મરજીથી પગલું ભરુ છું’ લખી અમરોલીની ત્યક્તાનો આપઘાત

સુરત: (Surat) અમરોલી વિસ્તારમાં રહેતી પરિણીતાએ ‘હું મારી મરજીથી આ પગલું ભરૂ છું’ તેની પાછળ કોઇ જવાબદાર નથી તેવી મરણનોંધ લખી ઝેરી દવા (Poison) પી મોત વ્હાલું કરી લીધું હતું. સ્મીમેર હોસ્પિટલ અને અમરોલી પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર અમરોલી માધવવિલા ખાતે રહેતી મિનાક્ષી સાલકે (ઉ.વ.35) બે સંતાનો સાથે રહેતી હતી. દરમિયાન તેણે સોમવારે રાત્રિના સમયે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. બનાવની જાણ પોલીસને (Police) કરવામાં આવતા પોલીસે સ્થળ ઉપર પહોંચી તપાસ કરતા મિનાક્ષી મૃત હાલતમાં મળી આવી હતી. મિનાક્ષીએ આપઘાત કરતા પહેલા હું જીદગીથી કંટાળી આ પગલું ભરૂ છં, આની પાછળ કોઇ જવાબદાર નથી. તેવી સ્યુસાઇડ નોટ (suicide Note) લખી હતી. પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે લઇ આગળની તપાસ હાથ ધરી હતી. વધુમાં જાણવા મળ્યું છે કે, મિનાક્ષી સાલકેના છુટાછેડા થઇ ગયા બાદ તે બાળકો સાથે રહેતી હતી. તેણે ક્યા કારણોસર પગલું ભર્યું તે કારણ હાલ જાણી શકાયું નથી. વધુ તપાસ પોલીસ કરી રહી છે.

‘કીસી કો બતાયા, તો જાન સે માર દુંગા’ યુવકનો માનસિક બિમાર સગીરા પર બળાત્કાર
સુરત : લિંબાયતમાં યુવકે માનસિક બિમાર સગીરાને ઇશારાથી બોલાવીને તેણીને અવાવરુ જગ્યાઇ લઇ જઇને બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. આ સગીરાએ ઘરે આવ્યા બાદ પોતાના માતા-પિતાને વાત કરતા સમગ્ર ઘટના બહાર આવી હતી. યુવકે બળાત્કાર બાદ સગીરાને મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ લિંબાયતમાં એક યુવક કૈલાસ દિનકર કોળીએ સોસાયટીમાં રહેતી એક સગીરા ઉપર દાનત બગાડી હતી. સગીરા માનસિક રીતે અસ્વસ્થ હોવાનો લાભ ઉઠાવીને કૈલાસે સગીરાને ઇશારો કરીને પોતાની પાસે બોલાવી હતી. કૈલાસે સગીરાને પોતાની બાઇક ઉપર બેસી જવા કહ્યું હતું, 14 વર્ષિય સગીરા કશુ પણ સમજી શકે તેમ ન હોય તેણી કૈલાસની સાથે બાઇક પર બેસી ગઇ હતી. ત્યારબાદ કૈલાસ સગીરાને આંટો મારવાનું કહીને અવાવરું જગ્યાએ લઇ ગયો હતો, જ્યાં સગીરાની સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. સગીરાની માનસિક સ્થિતિનો ગેરલાભ ઉઠાવીને તેની સાથે રેપ કર્યા બાદ કૈલાસે સગીરાને ધમકી આપી કે, ‘ઇસ બારે મેં કીસી કો ભી બતાયા તો જાન સે માર દૂંગા’, તેમ કહીને સગીરાને પરત ઘર પાસે લઇ આવ્યો હતો. સગીરા રડતી રડતી પોતાના ઘરે પહોંચી હતી. સગીરા ઘરે આવી ત્યારે તેની માતાએ તેના હાલ-ચાલ અને ક્યાં ગઇ હતી તે વિશે પુછ્યું હતું. ત્યારે સગીરાએ બળાત્કારની ઘટના વિશે પોતાની માતાને માહિતી આપી હતી. સાંજે સગીરાના પિતા ઘરે આવ્યા ત્યારે તેને પણ જાણ કરીને પોલીસમાં ફરિયાદ આપવામાં આવી હતી. પોલીસે બનાવ અંગે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. હવસ સંતોષ્યા બાદ આરોપી કૈલાસ ભાગી છૂટ્યો હતો, જેને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કરાયા છે.

Most Popular

To Top