National

આફતાબની કબૂલાત- મૃતદેહ કાપીને કંટાળી તેણે ખાવાનું મંગાવ્યું, બીયર પીધી અને આખી રાત..

નવી દિલ્હીઃ (New Delhi) શ્રદ્ધાના કિલર આફતાબની વાસ્તવિકતા દિલને હચમચાવી દે તેવી છે. જલ્લાદ આફતાબની (Aftab) કસાઈ જેવી દરેક હરકતો હવે સામે આવી રહી છે. તે માત્ર શ્રદ્ધાને (Shradhha) મારતો જ નહોતો પરંતુ તેનું માનસિક શોષણ (Harassment) પણ કરતો હતો. શ્રદ્ધા સાથેની તેની ક્રૂર તસવીરો હવે સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થઈ રહી છે. હવે શ્રદ્ધાની વોટ્સએપ ચેટ (Whats-app Chat) સામે આવી છે. આ ચેટમાં શ્રદ્ધા એક મિત્ર સાથે વાત કરી રહી છે અને આફતાબની ક્રૂરતાનો પણ ઉલ્લેખ કરી રહી છે.

24 નવેમ્બર 2020ની આ ચેટમાં શ્રદ્ધાએ તેના મિત્ર સાથે વાત કરી છે. શ્રદ્ધાએ આ ચેટમાં તેની સાથે થઈ રહેલી ક્રૂરતાનો ઉલ્લેખ કર્યો છે. શ્રદ્ધાએ આ ચેટ તેના મિત્ર સાથે કરી છે. આ ચેટમાં શ્રદ્ધાએ લખ્યું હતું કે આફતાબ જલ્દી જ તેનું ઘર છોડી જશે. શ્રદ્ધાએ લખ્યું હતું કે આફતાબે તેને એટલી નિર્દયતાથી માર માર્યો છે કે તેનામાં એનર્જી નથી બચી અને તે પથારીમાંથી ઊઠી પણ શકતી નથી.

શ્રદ્ધાની હત્યા બાદ તેના 35 ટુકડા કરનાર આફતાબ એટલો મોટો રાક્ષસ હતો કે તે ઘણીવાર શ્રદ્ધાને માર મારતો હતો. મેડિકલ રિપોર્ટમાં આ વાત સામે આવી છે. આ રિપોર્ટ વર્ષ 2020નો છે જ્યારે શ્રદ્ધાને આફતાબના મારને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મારના કારણે શ્રદ્ધાને પીઠ, ગરદન અને પગમાં ભારે દુખાવો થતો હતો.

દેહરાદૂનમાં પણ ફેંક્યા શ્રદ્ધાના શરીના અંગો
બીજી તરફ દેશને ચોંકાવનારા અને પરેશાન કરનાર શ્રદ્ધા હત્યા કેસમાં હવે એક નવો અને મોટો ખુલાસો સામે આવ્યો છે. આફતાબે દિલ્હી પોલીસની સામે નવી કબૂલાત કરી છે. આફતાબે જણાવ્યું કે તેણે દેહરાદૂનમાં શરીરના કેટલાક અંગો ફેંક્યા હતા. હવે દિલ્હી પોલીસની ટીમ પુરાવા એકત્ર કરવા દેહરાદૂન જઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આફતાબે ગુસ્સામાં ગળુ દબાવીને હત્યા કર્યાની કબૂલાત કરી છે અને કહ્યું છે કે ઘરના ખર્ચને લઈને થયેલા ઝઘડા બાદ તેણે શ્રદ્ધાનું ગળું દબાવ્યું હતું. આફતાબે જણાવ્યું છે કે તે નશો કરે છે અને તેણે 18 મેના રોજ રાત્રે 9 થી 10 વાગ્યાની વચ્ચે ગાંજાના નશામાં શ્રદ્ધાની હત્યા કરી હતી.

શ્રદ્ધા મર્ડર કેસના આરોપી આફતાબે પોલીસને પૂછપરછ દરમિયાન વધુ એક વાત કહી છે. તેણે કહ્યું કે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ તે બહારથી કરવત લાવ્યો અને તેને બાથરૂમમાં લઈ ગયો હતો અને શ્રદ્ધાના શરીરને કાપવા લાગ્યો હતો. થોડા સમય પછી જ્યારે તે થાકી ગયો તો તેણે બહારથી ખાવાનું મંગાવ્યું. તેણે મૃતદેહની સામે બેસીને ભોજન લીધું. આ દરમિયાન તેણે બિયર પણ પીધી અને પછી વેબ સિરીઝ જોઈ.

આરોપી આફતાબ પૂનાવાલાએ પૂછપરછ દરમિયાન કબૂલાત કરી હતી કે તેણે શ્રદ્ધાના માથા સહિત તેના શરીરના ભાગોને પાંચ મહિનાથી વધુ સમય સુધી રેફ્રિજરેટરમાં રાખ્યા હતા. સીસીટીવી કેમેરાના ફૂટેજથી પણ આ વાતની પુષ્ટિ થઈ છે. તેની હત્યા કર્યા બાદ જ મૃતદેહના કેટલાક ટુકડા તેણે ફેંકી દીધા હતા. જ્યારે શ્રદ્ધાના મૃતદેહને બે દિવસ સુધી ઘરમાં રાખવામાં આવ્યો હતો. એક દિવસ શ્રદ્ધાની ડેડ બોડી રૂમમાં જ પડી રહી હતી. તેણે મૃતદેહ પાસે બેસીને ભોજન લીધું હતું. આરોપીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું છે કે તેણે શ્રદ્ધાના શરીરના માત્ર 16 ટુકડા કર્યા હતા. આ દરમિયાન તે પહેલાની જેમ જ હસતો રહ્યો.

હત્યાના બીજા દિવસે લાશ બાથરૂમમાં રાખી
બીજા દિવસે તેણે શ્રદ્ધાની લાશ બાથરૂમમાં રાખી હતી. એક દિવસ સુધી લાશ બાથરૂમમાં પડી રહી. આરોપીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું છે કે આ પછી તેણે શ્રદ્ધાના શરીરના કેટલાક ટુકડા પોલીથીનમાં પેક કરીને જંગલમાં ફેંકી દીધા હતા. શ્રદ્ધાનું માથું, ધડ, પગના પંજા અને હાથની આંગળીઓ ફ્રીઝમાં પોલીથીનમાં પેક કરીને રાખવામાં આવી હતી. આરોપીનું કહેવું છે કે તેને લાશના આ ટુકડા ફેંકવાની તક મળી ન હતી.

Most Popular

To Top