National

ભારત 4.5 લાખ રેમડેસિવિર આયાત કરશે

ભારત સરકારે દેશમાં રેમડેસિવિરની ખેંચ હળવી કરવા અન્ય દેશોમાંથી આવશ્યક દવા રેમડેસિવિરની આયાત કરવાનું શરૂ કર્યું છે. આજે 75000 ઇન્જેક્શનનું પ્રથમ કન્સાઇન્મેન્ટ ભારત પહોંચી જશે.

ભારત સરકારની માલિકીની કંપની એચએલએલ લાઇફકેર લિમિટેડે અમેરિકામાં મેસર્સ જિલીડ સાયન્સિસ ઇન્ક યુએસએ અને ઇજિપ્તની ફાર્મા કંપની મેસર્સ ઇવા ફાર્માને રેમડેસિવિરના 4,50,000 ઇન્જેક્શનનો ઓર્ડર આપ્યો છે. આગામી એકથી બે દિવસમાં જિલીડ સાયન્સિસ ઇન્ક. યુએસએ 75,000થી 1,00,000 ઇન્જેક્શન રવાના કરશે એવી અપેક્ષા છે. ઉપરાંત 100000 ઇન્જેક્શન 15 મે સુધી કે એ અગાઉ પૂરાં પાડવામાં આવશે. ઇવા ફાર્મા અંદાજે 10,000 ઇન્જેક્શનનો પુરવઠો પૂરો પાડશે, જેમાં શરૂઆતમાં દર 15 દિવસે કે જુલાઈ સુધીમાં 50,000 વાયલ પ્રદાન કરશે.

સરકારે દેશમાં રેમડેસિવિરની ઉત્પાદન ક્ષમતા વધારી છે. 27.04.21 સુધી લાઇસન્સ ધરાવતી સાત સ્થાનિક કંપનીઓએ ઉત્પાદન ક્ષમતા દર મહિને 38 લાખથી વધારીને દર મહિને 1.03 કરોડ કરી છે. છેલ્લાં સાત દિવસ (21થી 28 એપ્રિલ, 2021)માં દવા ઉત્પાદક કંપનીઓએ સમગ્ર દેશમાં કુલ 13.73 લાખ ઇન્જેક્શન પૂરા પાડ્યાં છે.

Most Popular

To Top