Charchapatra

ધર્મ આપણને નમ્ર વિવેકી પરોપકારી શાલીન સંસ્કારી બનાવે છે

આજના આધુનિક યુગમાં જ્યારે માનવતા મરી પરવારી છે. એકતા સંપ આપસી ભાઈચારો ખતમ થઈ રહ્યો છે. ઇન્સાનિયતનો હા્સ થઈ ગયો છે. આપણે પાષાણ હૃદયના બની ગયા છીએ. તે વખતે ધર્મ જ આપણને નમ્ર વિવેકી બનાવી શકે છે. આપણું ધાર્મિક હોવું ખૂબ જરૂરી છે. ધર્મ આપણે પરોપકારી દયા કરુણા આપણા મનમા ઉભી કરે છે આપને જાનવર બનતા રોકે છે. ધર્મ આપણે અહંકાર લોભ લાલચ ઇર્ષા અદેખાઈ મોહથી બચાવે છે. આપના મન મસ્તિષ્કમાં લાગણીની સરવાણી વહેતી રાખે છે. જરૂર છે ધર્મને સાચી રીતથી સમજવાની. યાદ રાખજો, ક્યારે ય કોઈના મુખદર્શનથી કોઈનો બેડો પાર થયો નથી અને થવાનો પણ નથી. દુનિયાનો કોઈ પણ ધર્મ  તમને હિંસા કરવાનું કહેતો નથી. જીવ માત્રની સંભાળ કાળજી રાખવાની છે. તમામ ધર્મનો ટૂંકો સાર એટલો જ છે કે જીવો અને જીવવા દો. આજના જમાનામાં તો કોઈને નડવું નહીં એનાથી મોટું પુણ્ય કોઈ નથી.

દરેક ધર્મ શાંતિ એકતા સંપ આપસી ભાઈચારો જ શીખવે છે. ધર્મ આપણે સારા શાલીન અને સંસ્કારી માણસ બનાવે છે. દરેક ધર્મ અને તેના ઉપદેશો એક સરખા જ છે. કોઈ ધર્મ તમને તમારી તર્કશક્તિ વિવેકબુદ્ધિનો ઉપયોગ બંધ કરવાનું કહેતો નથી. ખરી ખોટી વાતને તમારી વિવેકબુદ્ધિ તર્કશક્તિથી ચકાસો. તમારો અંતરાત્મા જેમ કહે એમ કરો. અંતરાત્માની શક્તિને ઓળખો. ઈશ્વર તો નિરાકાર છે. આપણે આપણા ઇષ્ટદેવને મંદિરોમાંથી બહાર કાઢી ઓળખવાની જરૂર છે. ઈશ્વર તો સર્વવ્યાપી છે કણ કણમાં સમાયેલો છે. ઈશ્વર તો તમારા ભાવનો ભૂખ્યો છે. આપણે ઈશ્વરનો રોજ આભાર માનવાનો છે. રોજ રોજ માગણી કરવાની નથી. એ તો અંતર્યામી છે. બધું જ જાણે છે. યોગ્ય સમય પર તમારી યોગ્ય માંગણી પૂરી કરશે જ, વિશ્વાસ રાખો. ભારતમાં અત્યાર સુધી ધાર્મિક સ્થાનોમાં નાસભાગના સેંકડો બનાવો બન્યા છે. હજારોના જાન ગયા છે. તો પણ આપણે સમજવા તૈયાર નથી. આપણા સારા નસીબે આ બનાવ મોડી રાતે બન્યો હતો. જો કમનસીબે આ બનાવ દિવસના બન્યો હોત તો વધુ માનવ ખુવારી થઈ હોત.
સુરત     -અબ્બાસભાઈ કૌકાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top