Gujarat

સુરત જિલ્લામાં બે વર્ષમાં ઘર વપરાશ માટે 1959 વીજ જોડાણો અપાયા

ગાંધીનગર : વિધાનસભામાં ઘર વપરાશ માટે અપાયેલા વીજ જોડાણના (Power connection) પ્રશ્નના લેખિત જવાબમાં ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, તા.૩૧મી ડિસેમ્બર ૨૦૨૨ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં છોટાઉદેપુર જિલ્લામાં કુટીર જ્યોતિ યોજના હેઠળ ૩૯૮૦ લાભાર્થીઓને ઘર વપરાશ માટે વીજ જોડાણ આપવામાં આવ્યા છે. તે પેટે કુલ રૂ.૧૯૫.૨૯ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.

તેવી જ રીતે સુરત જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૧૯૫૯ લાભાર્થીઓને ઘર વપરાશ માટે વીજ જોડાણો આપવામાં આવ્યા છે. તેની પાછળ કુલ રૂ. ૭૫.૧૭ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત છેલ્લા બે વર્ષમાં ભરૂચ જિલ્લામાં કુટીર જ્યોતિ યોજના હેઠળ ૯૧૨ લાભાર્થીઓને ઘર વપરાશ માટે વીજ જોડાણ આપવામાં આવ્યા છે. તે પેટે કુલ રૂ.૩૨.૪૯ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top