Gujarat

રાજ્યમાં કેસમાં આંશિક ઘટાડો : 12,820 નવા કેસ, 140 દર્દીના મોત

રાજ્યમાં કોરવા કેસની સંખ્યા 12,820 પર પહોંચી ગઈ છે. આમ રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 6 લાખને પાર કરી ગઈ છે. સોમવારે એક જ દિવસમાં અમદાવાદ મનપામાં 25 મૃત્યુ સાથે રાજ્યમાં કુલ મૃત્ય 140 થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 7648 થયા છે.

સોમવારે અમદાવાદ મનપામાં 25, સુરત મનપામાં 10, સુરત ગ્રામ્યમાં 3, વડોદરા મનપામાં 9, રાજકોટ મનપામાં 10, જામનગર મનપામાં 9, ભાનગર મનપા 5, જૂનાગઢ મનપા 4, મહેસાણામાં 3, ગાંધીનગર મનપા 2, સાબરકાંઠામાં 4, સુરેન્દ્રનગર 4 સહિત કુલ 140 દર્દીએ જીવ ગુમાવ્યાં છે.

બીજી તરફ સોમવારે 11,999 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,52,275 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં દર્દીઓની સાજા થવાનો દર 74.46 ટકા થયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સોમવારે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 4616, સુરત મનપામાં 1309, વડોદરા મનપામાં 497, રાજકોટ મનપામાં 397, ભાવનગર મનપામાં 431, ગાંધીનગર મનપામાં 155, જામનગર મનપામાં 393 અને જૂનાગઢ મનપામાં 148 કેસ નોંધાયા છે.

જ્યારે સુરત ગ્રામ્યમાં 347, જામનગર ગ્રામ્ય 319, ભરૂચ 101, નવસારી 160, વલસાડ 125, મહેસાણા 493, વડોદરા ગ્રામ્ય 439 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 1,47,499 વેન્ટિલેટર ઉપર 747 અને 1,46,752 દર્દીઓ સ્ટેબલ છે.

Most Popular

To Top