Gujarat

નડિયાદ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 4 મિત્રોના મોત, પરિવારજનોને ઘેરો આઘાત

નડિયાદ: નડિયાદ(nadiyad)માં નેશનલ હાઈવે 48 (national highway)પર એક ગમખ્વાર અકસ્માત(accident) સર્જાયો હતો. જેમાં અમદાવાદ(Ahmadabad)ના 4 મિત્રો(friends)ના ઘટના સ્થળે જ મોટ નિપજ્યા હતા.આ યુવાનો ઓવરસ્પીડમા મોટરસાયકલ હંકારી રહ્યા હતા. મોટર સાયકલ પર કાબુ ગુમાવતા હાઈવે નજીકના હોટલના પાર્કીગમા પાર્ક કરેલ કન્ટેનર પાછળ ઘૂસાડી દીઘી હતી. બનાવની જાણ પોલીસ ને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર પોલીસ ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાની જાણ મૃતકના પરિવારજનોને થતા પરિવારજનોમાં હૈયાફાટ આક્રંદ જોવા મળ્યો છે.

  • નડિયાદમાં ડીટેઈન થયેલું બાઈક છોડાવવા માટે ચારેય મિત્રો અમદાવાદથી નડિયાદ આવ્યા હતા
  • પૂરપાટ ઝડપે મોટર સાયકલ ચલાવીને જતા સર્જાયો અકસ્માત
  • મૃતકો ચારેય અમદાવાદના રહેવાસી, પરિવારમાં શોક

ઓવરસ્પીડિંગએ લીધો ભોગ
નડિયાદના ખેડા જિલ્લાના માતર પંથકમાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર ગતરાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો . સોખડા નજીક વેસ્ટન હોટલ પાસેથી પસાર થતા 4 સવારી મોટરસાયકલ પુરપાટ ઝડપે દોડી રહી હતી. આ દરમ્યાન મોટર સાયકલ ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા હાઈવેની સાઈડમાં આવેલ હોટલના પાર્કિંગમાં ઊભી રહેલી અશોક લેલન્ડ કન્ટેનર નંબર (GJ 23 AT 6450)ની પાછળ મોટરસાયકલ ઘુસાડી દીધું હતું. અકસ્માતના પગલે મોટરસાયકલ પર સવાર ચાર લોકોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજયા હતા. મૃતક 4 લોકો પૈકી ત્રણ યુવાનો તથા એક કિશોર હોવાનું જાણવા મળ્યું છે.

મૃતક 4 પૈકી ત્રણ યુવાનો તથા એક કિશોર
ઘટનાના પગલે લોકોના ટોળાં ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.અને સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. જેથી માતર પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. જે બાદ મૃતક તમામ લોકોની ઓળખ છતી કરવામાં આવી હતી. મૃતક 4 લોકો પૈકી ત્રણ યુવાનો તથા એક કિશોર હોવાનું જાણવા મળ્યું છે.આ મૃતકમાં જીતેશ રમેશભાઈ નોગીયા (ઉ.વ.23, રહે. અમરાઈવાડી, 54 શિવાનંદનગર, અમદાવાદ), હરીશ દિનેશભાઈ રાણા (ઉં.વ. 19, રહે.CTM, સિંધવાઇ માતાનું ભરવાડ વાસ, અમદાવાદ), નરેશ વિજયભાઈ વણઝારા (ઉ.વ.22,રહે. અમરાઈવાડી 32 /587 શિવાનંદનગર સત્યમનગર, અમદાવાદ), સુંદરમ ઉર્ફે છોટુ સુભાષભાઈ યાદવ (ઉં.વ. 17,રહે. અમરાઈવાડી, પંડિતજીની ચાલી ભીલવાડા અમદાવાદ)નો સમાવશે થાય છે.

પરિવારોમાં હૈયાફાટ આક્રંદ
માતર પોલીસે જણાવ્યું હતું કે, મરણ જનાર તમામ લોકો મિત્રો થતા હતા અને ગતરોજ નડિયાદ મુકામે બાઈક ડીટેઈન કરાયું હતું. જેને છોડાવવા આ તમામ મિત્રો અમદાવાદથી નડિયાદ આવ્યા હતા. જે બાદ મધરાત્રે એક જ મોટરસાઇકલ પર આ ચારેય લોકો અમદાવાદ જઈ રહ્યા હતા ત્યારે આ કસ્માત સર્જાયો છે. અકસ્માત જોતા મોટરસાયકલ ઓવરસ્પીડમાં હોવાનું પણ જાણવા મળ્યું છે. ઓવરસ્પીડે વાહન હંકારતા ચાર મિત્રો મોતના મુખમાં ધકેલાતા ચારેયના પરિવારોમાં હૈયાફાટ આક્રંદ જોવા મળ્યો છે. આ તમામના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવતા રોકકડથી વાતાવરણ દ્રવી ઉઠ્યું હતું. પોલીસે આ મરણજનાર તમામને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

Most Popular

To Top