Gujarat

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના માટે ઓરેવા કંપની જવાબદાર- હાઇકોર્ટમાં સીટ દ્વારા રિપોર્ટ રજૂ કરાયો

અમદાવાદ: (Morbi) મોરબીના ઝુલતા પુલ (Bridge) દુર્ઘટના મામલે સીટ દ્વારા 5000 પાનાનો તપાસ અહેવાલ આજે હાઈકોર્ટમાં (High Court) રજૂ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં આ ઘટના માટે બ્રિજનું સંચાલન અને સમારકામ કરનાર ઓરેવા કંપનીના તમામ લોકો જવાબદાર છે તેમજ બ્રિજ ઉપર જવા આવવા માટે કોઈ ચોક્કસ સંખ્યા કે કોઈપણ પ્રકારના પ્રતિબંધની વ્યવસ્થા કરવામાં આવી ન હતી.

  • મોરબી ઝુલતા પુલ દુર્ઘટના માટે બ્રિજનું સમારકામ, સંચાલન કરનાર ઓરેવા કંપની જવાબદાર
  • બ્રિજનું સંચાલન અને સમારકામ કરનારા તમામ લોકોને રિપોર્ટમાં જવાબદાર ઠેરવાયા
  • બ્રિજ પર મુલાકાતીઓ માટે સંખ્યાની કોઈ મર્યાદા રખાઈ ન હતી, ફિટનેસ રિપોર્ટ પણ તૈયાર કરાયો ન હતો
  • 135 લોકોનો ભોગ લેનાર દુર્ઘટના માટે જવાબદાર ઓરેવા કંપનીના જયસુખ પટેલે વચગાળાના જામીન માંગ્યા આજે સુનાવણી
  • સીટ દ્વારા 5000 પાનાનો તપાસ અહેવાલ હાઈકોર્ટમાં રજુ કરાયો

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલે આજે ગુજરાત હાઇકોર્ટમાં સીટ દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. સીટ દ્વારા અંદાજે 5000 પાનાના આ તપાસ અહેવાલમાં જણાવ્યું છે કે મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં ઓરેવા કંપનીની ગંભીર બેદરકારી છે. આ ઘટના માટે બ્રિજનું સંચાલન અને સમારકામ કરનાર ઓરેવા કંપનીના તમામ લોકો જવાબદાર છે. આ ઉપરાંત બ્રિજ ઉપર જવા માટે નિર્ધારિત સંખ્યાનો કોઈપણ પ્રકારનો પ્રતિબંધ અથવા રોક લગાવવાની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. બ્રિજ ખોલતા પહેલા કોઈપણ ફિટનેસ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો ન હતો. ઓરેવા કંપનીએ મોરબી નગરપાલિકાને પણ આ કોઈ સંદર્ભે જાણ કરી નહતી. ઓરેવા કંપની સંપૂર્ણ રીતે ઘટના માટે જવાબદાર છે.

બીજી તરફ ઓરેવા કંપનીના જયસુખ પટેલે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ વચગાળાની રાહત આપવાની માંગ સાથે જામીન આપવા રજૂઆત કરી છે. આ કેસની વધુ સુનાવણી આગામી 11મી ઓક્ટોબરે હાથ ધરાશે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે મોરબી ખાતેનો ઝુલતો પુલ ગત 30 ઓક્ટોબર-2022ને રવિવારના રોજ સાંજે તૂટી પડ્યો હતો આ દુર્ઘટનામાં 135 લોકોના મૃત્યુ થયા હતા.

Most Popular

To Top