Gujarat

મોરબી બ્રિજ દુર્ઘટના: પાલિકાએ હાઈકોર્ટમાં એફિડેવિટ દાખલ કરી, કહ્યું- પરવાનગી વગર બ્રિજ ખોલ્યો

મોરબી નગરપાલિકાએ (Morbi Municipality) ગુજરાત હાઈકોર્ટને (Gujarat High Court) જણાવ્યું છે કે બ્રિજના (Bridge) સમારકામની જે કંપનીને જવાબદારી સોંપવામાં આવી હતી તેણે રિપેરિંગ કામ (Repair Work) અંગે જાણ કર્યા વિના પરવાનગી વગર (Without Permission) તેને ખોલી નાખ્યો હતો. તમને જણાવી દઈએ કે મચ્છુ નદી (Machchu River) પરનો આ પુલ ગત ઓક્ટોબરના અંતમાં તૂટી પડ્યો હતો. આ અકસ્માતમાં 135 લોકોના મોત થયા હતા.

  • મોરબી બ્રીજ દુર્ઘટના મામલે પાલિકાએ હાઈકોર્ટમાં એફિડેવિટ દાખલ કરી
  • પાલિકાએ કહ્યું- કંપનીએ પરવાનગી વગર બ્રિજ ખુલ્લો મુક્યો
  • મોરબી શહેરની મચ્છુ નદી પરનો આ પુલ અંગ્રેજોના સમયમાં બનાવવામાં આવ્યો હતો
  • 30 ઓક્ટોબરની સાંજે બ્રિજ તૂટી પડતાં 135 લોકોનાં મોત થયાં હતાં

પાલિકાએ બુધવારે હાઈકોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી. નગરપાલિકાએ કહ્યું કે 8 માર્ચ 2022ના કરારની ચાર શરતો (મ્યુનિસિપલ બોડી અને કંપની વચ્ચે) નક્કી કરવામાં આવી હતી. એફિડેવિટમાં ધ્યાન દોરવામાં આવ્યું હતું કે એક શરત એ હતી કે અજંતા (ઓરેવા ગ્રૂપ) તેનું યોગ્ય રીતે સમારકામ કરશે અને કરારની તારીખથી ઓછામાં ઓછા 8 થી 12 મહિનાનો સમય લાગશે, તે પછી જ તે મોટા પાયે લોકો માટે ખુલ્લું રહેશે.

પાલિકાએ ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ડિવિઝન બેંચ સમક્ષ એફિડેવિટ દાખલ કરી હતી. કોર્ટ આ મામલાની સુઓ મોટુ સંજ્ઞાન લીધા બાદ સુનાવણી કરી રહી છે. મોરબી શહેરની મચ્છુ નદી પરનો આ પુલ અંગ્રેજોના સમયમાં બનાવવામાં આવ્યો હતો. પુલ ધરાશાયી થયાના પાંચ દિવસ પહેલા સમારકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આ પછી તેને સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યું હતું. 30 ઓક્ટોબરની સાંજે બ્રિજ તૂટી પડતાં 135 લોકોનાં મોત થયાં હતાં.

હાઇકોર્ટે અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ (ઓરેવા ગ્રૂપ) પાસેથી જવાબ માંગ્યો છે કે પરવાનગી ન હોવા છતાં બ્રિજનો ઉપયોગ કરવાની મંજૂરી આપવા પાછળ કયા કારણો હતા. અમદાવાદ સ્થિત ઓરેવા ગ્રુપ બ્રિજની જાળવણી અને સંચાલન કરતું હતું. મોરબી નગરપાલિકાએ તેના સોગંદનામામાં જણાવ્યું હતું કે 8 માર્ચ 2022 ના રોજ પાલિકા અને અજંતા મેન્યુફેક્ચરિંગ વચ્ચે થયેલા કરારની શરત મુજબ પુલને સામાન્ય રીતે જાહેર જનતા માટે ખોલવામાં આવે તે પહેલાં યોગ્ય સમારકામની જરૂર હતી.

Most Popular

To Top