Gujarat

લતા મંગેશકર તથા આશાબેન પટેલ સહિત દિવંગત ધારાસભ્યોને વિધાનસભામાં શ્રદ્ધાંજલિ અપાઇ

ગાંધીનગર : સ્વ. ગાયિકા લતા મંગેશકર (Lata Mangeshkar) તથા વિધાનસભાના ઊંઝાના વર્તમાન ધારાસભ્ય સ્વ આશાબેન પટેલ (Aashaben Patel) તથા પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી સ્વ.પ્રતાપસિંહ હીરાભાઇ પટેલ, સ્વ. વ્રજલાલ દુર્લભજી જાની, સ્વ. અમૃતલાલ કાળીદાસ પટેલ, સ્વ. ઉપેન્દ્રસિંહ પ્રતાપસિંહ ગોહીલ, ગુજરાત રાજ્યના પૂર્વ સભ્ય સ્વ.અંબાલાલ જયશંકર ઉપાધ્યાય, સ્વ.જગદીશચંદ્રજી દોલજીભાઇ ડામોર, સ્વ. જોરૂભા જેઠુભા ચૌહાણના અવસાન અંગે દુ:ખની લાગણી વ્યક્ત કરી શોક દર્શક ઠરાવ ગૃહમાં પસાર કરાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ દિવંગત ધારાસભ્યો તેમજ સ્વરસમ્રાજ્ઞી સ્વ. લતા મંગેશકરની જાહેર જીવનની પ્રતિભા તેમજ જનસેવા-સમર્પણની સરાહના કરી હતી.સભાગૃહે આ સૌ દિવંગત આત્માઓના સન્માનમાં બે મિનિટનું મૌન પાળ્યું હતું.

Most Popular

To Top