Charchapatra

મેટ્રોનું ખોદકામ તોબા પોકારાવે છે

છેલ્લા ખૂબ જ લાંબા સમયથી સુરતના  ટાવરરોડ, ચોક, મક્કાઈપુલ વિગેરે વિસ્તારોમાં મેટ્રોનું ખોદકામ ચાલી રહ્યું છે. જેને પરિણામે શહેરની જાહેર જનતાને ખૂબ જ તકલીફ  પડે છે. આ વિસ્તારોમાં ખોદકામને લીધે રોડ નાનો થઈ ગયો છે જેની સામે મોટી સંખ્યામાં વાહન-વ્યવહાર ચાલતો હોવાથી રસ્તો બ્લોક થઈ જાય છે અને આ વિસ્તારોમાં વાહનોના સંચાલન માટે કોઈ પણ પ્રકારની ટ્રાફિક પોલીસ વ્યવસ્થા હોતી નથી જેથી સમસ્યા ખૂબ જ જટિલ અને પીડાજનક બને છે તો આ અંગે મેટ્રોનું ખોદકામ કરાવતા સંતોષીઓ જાહેર જનતાને રાહત મળે તે માટે જરૂરી યોગ્ય આયોજન કરે જેથી ટ્રાફિક સમસ્યા અને જાહેર જનતા સમસ્યાનો કંઈક અંશે રાહત મળે.
સુરત     – રાજુ રાવલ       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top