Vadodara

વડોદરાના મહારાજા સમરજીતસિંહજી ગાયકવાડ અને રાજમાતા શુભાંગીનીદેવીએ મતદાન કર્યું,


વડોદરા લોકસભા બેઠક સહિત રાજ્યમાં આજે લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 માટે મતદાન થઈ રહ્યું છે. આજે મતદારો તેમના સતાધિકારનો ઉપયોગ કરવા સવારથી કતારમાં લાગી મતદાન કરી રહ્યા છે. રાજ્યનો દરેક નાગરિક આજે મતદાન કરી તેની ફરજ બજાવી રહ્યો છે. વડોદરામાં રાજવી પરિવારે પણ મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી છે.
શહેરના દાંડિયાબજારમાં આવેલ સરકારી ટેકનીકલ સ્કૂલ ખાતે રાજવી પરિવારના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ અને રાજમાતા શુભાંગીનીદેવી ગાયકવાડે મતદાન કર્યું છે. તો આ સાથે જ મહારાજા અને રાજમાતાએ મતદાન કરી વધુને વધુ મતદાન કરવા માટે વડોદરાવાસીઓને અપીલ પણ કરી છે.

વડોદરાના રાજવી પરિવારના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડએ મતદાન આપ્યા બાદ નિવેદન આપ્યું કે, “દિલ્હીની સરકાર બનાવવા તમામે મત આપવું જરૂરી છે. વડોદરામાં અનેક પ્રશ્નો છે. વિસ્તાર વધ્યો છે.

Most Popular

To Top