World

બાંગ્લાદેશમાં કાર્ગો જહાજ સાથે બોટ ભટકાતા ૨૭નાં મોત

બાંગલાદેશની શીતાલાખ્યા નદીમાં એક માલવાહક જહાજ સાથે એક નાની લોન્ચ ભટકાતા ઓછામાં ઓછા ૨૭ જણા માર્યા ગયા છે એમ અધિકારીઓએ આજે જણાવ્યું હતું.

આ બનાવ નારાયણગંજ જિલ્લામાં રવિવારે સાંજે બન્યો હતો. પાંચ મૃતદેહો કાલે જ મળી ગયા હ તા જ્યારે આજે વધુ ૨૨ મૃતદેહો મળી આવ્યા હતા. એક મોટી ક્રેન સાથે બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.

નેવી, કોસ્ટગાર્ડ, ફાયર સેવાઓ અને પોલીસના અધિકારીઓ સહિતને એક બચાવ ટીમ કામે લગાડવામાં આવી હતી. આજે બાંગલાદેશ જળ પરિવહન સત્તામંડળે જણાવ્યું હતું કે બચાવ અભિયાન પુરું થયું છે.

મુન્શીગંજમાં સૈયદપુર કોયલા ઘાટ નજીક આ ટક્કર સર્જાઇ હતી જેમાં ઉતારુ બોટ એક કાર્ગો જહાજ એસકેએલ-૩ સાથે ભટકાઇને ડૂબી ગઇ હતી. આ લોન્ચ બોટ મુન્શીગંજ તરફ જઇ રહી હતી.

પોલીસ અને બનાવને નજરે જોનારાઓને ટાંકીને ઢાકા ટ્રીબ્યુન અખબારે જણાવ્યું હતું કે આ અથડામણ પછી માલવાહક જહાજ બનાવના સ્થળેથી નાસી છૂટયું હતું. આ બનાવની તપાસ કરવા માટે સાત સભ્યોને એક સમિતી એડીએમના વડપણ હેઠળ રચવામાં આવી છે એમ જણાવાયું હતું. તપાસ સમિતિને તેનો અહેવાલ પાંચ દિવસમાં સુપ્રત કરવા જણાવાયું છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top