National

ફરી એક વાર વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયો : બિહારમાં ઘટી ઘટના

નવી દિલ્હી : ભારતીય રેલવે તંત્ર (Indian Railways) ખુબ આધુનિક થઈ રહ્યું છે. પણ તેની સામે લોકોઈ માનસિકતા કેમ નથી બદલાઈ રહી તે એક સળગતો સવાલ છે. સરકાર અને રેલવે વિભાગ ભારતીય ટ્રેનને આધુનિક બનાવવા માટે દેશભરમાં ઘણી વંદે ભારત ટ્રેનો (Vande Bharat Train) દોડાવી રહી છે. આ ટ્રેનો સેમી સ્પીડ એક્સપ્રેસ ટ્રેનો પૈકીની ટ્રેન છે. પરંતુ આ ટ્રેનો પર પથ્થરમારાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. લગભગ દરરોજ કોઈને કોઈ જગ્યાએથી ટ્રેનો પર પથ્થરમારાની માહિતી મળે છે.આજે રવિવારે પણ ન્યૂ જલપાઈગુડીથી હાવડા જતી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ટ્રેન બિહારના (Bihar) બારસોઈ (Barsoi) વિસ્તારમાં હતી ત્યારે ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જોકે, આ પથ્થરમારામાં ટ્રેન કે કોઈ મુસાફરને કોઈ નુકસાન થયું નથી.

બંગાળમાં વંદે ભારત એક્સપ્રેસ પર ફરીથી પથ્થરમારો થયો
પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારોનો મામલો સામે આવ્યો છે. જેમાં ટ્રેનના કાચને થોડું નુકસાન થયું છે. માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓએ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. મળતી માહિતી મુજબ વંદે ભારતના C14 ડબ્બાઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને કારણે ટ્રેનને બોલપુર સ્ટેશન પર લાંબા સમય સુધી રોકવી પડી હતી જ્યારે અહીં માત્ર 2 મિનિટનું સ્ટોપેજ છે. જોકે આ પથ્થર મારામાં કોઈ પણ મુસાફરને ઈજા પહોંચી નથી.

બોલપુર સ્ટેશન પર લાંબા સમય સુધી રોકવી પડી હતી
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 30 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળમાં વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ પછી 1 જાન્યુઆરીએ અને પછી 2 જાન્યુઆરીએ ટ્રેન પર પથ્થરમારાની ઘટના પ્રકાશમાં આવી હતી. પૂર્વ રેલવેના સીપીઆરઓએ પણ આ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે વીડિયો ફૂટેજને સ્કેન કર્યા બાદ જાણવા મળ્યું છે કે સોમવારે (1 જાન્યુઆરી)ના રોજ જે પથ્થરમારો થયો હતો તે માલદા જિલ્લામાં થયો હતો. બીજી તરફ, મંગળવાર (2 જાન્યુઆરી)ની ઘટના બિહારના કિશનકંજની છે. તેમના તરફથી એવો આગ્રહ રાખવામાં આવ્યો હતો કે આરોપીને પકડવાના પ્રયાસો ચાલુ છે. હવે તપાસ ચાલી રહી છે, પરંતુ ભાજપે આ મામલે NIA તપાસની માંગ ઉઠાવી છે.

પશ્ચિમ બંગાળમાં નહીં પરંતુ બિહારમાં વંદે ભારત પર પથ્થરમારો: મમતા
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 1 અને 2 જાન્યુઆરીના રોજ બનેલી પથ્થરમારાની ઘટનાને નકારી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં નહીં પરંતુ બિહારમાં વંદે ભારત પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જુઠ્ઠાણા ફેલાવવાનું કામ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આપણા રાજ્યને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કોઈપણ રીતે વંદે ભારત નવી ટ્રેન નથી. આ એક જૂની ટ્રેન છે જેમાં નવું એન્જિન લગાવવામાં આવ્યું છે.

Most Popular

To Top