World

પાકિસ્તાનમાં પતિએ પત્ની અને 7 બાળકોને કુહાડીથી કાપ્યા, કહ્યું…

લાહૌર: પાકિસ્તાનમાંથી (Pakistan) એક ચોંકાવનારી ઘટના બની હતી. અહીં આર્થિક સંકટથી (Economic Crisis) ઝઝૂમી રહેલા એક વ્યક્તિએ પોતાના 7 બાળકો અને પત્નીને કુહાડીથી મોતને (Death) ઘાટ ઉતાર્યા હતા. આ ઘટનામાં તમામ 8 લોકોના મૃતદેહો (Dead Bodies) ઘટનાસ્થળેથી જ પ્રાપ્ત થયા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ સજ્જાદ ખોખર નામનો વ્યક્તિ પોતાના બાળકો અને પત્નીનું ભરણપોષણ કરી શકતો ન હતો, જેના કારણે તેણે પોતાના પરિવારની જ હત્યા કરી. હાલ નાણાકીય રીતે કફોડી સ્થિતિમાં જીવી રહેલા પાકિસ્તાનથી સતત એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે દેશમાં દવા અને ખાદ્યપદાર્થો જેવી જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની કિંમતો આસમાને પહોંચી રહી છે.

પીટીઆઈના અહેવાલ મુજબ આ ઘટના પાકિસ્તાનના પંજાબમાં બની હતી. આરોપી સજ્જાદ ખોખરએ 7 સગીર બાળકો સાથે તેની પત્નીની હત્યા કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે પૈસાની અછતના કારણે આરોપી ખૂબ જ પરેશાન હતો અને તેની પત્ની સાથે અવારનવાર વિવાદ થતો હતો. તેમજ આખરે મોંઘવારી સામે પોતાના ઘૂંટણ ટેકવી દેતા આ ઇસમે પોતાનો જ પરિવાર ઉજાડ્યો હતો. આ ઘટનામાં સજ્જાદની 42 વર્ષીય પત્ની કૌસર, ચાર પુત્રીઓ અને ત્રણ પુત્રોના મોત થયા હતા. આ જઘન્ય અપરાધ બાદ પંજાબ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

આરોપીએ પોલીસને શું કહ્યું?
પોલીસે મીડિયાને જણાવ્યું કે આરોપીએ કુહાડી વડે તેના પરિવારની હત્યા કરી હતી અને આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. આરોપી વ્યક્તિએ પોલીસને કહ્યું કે તે હવે તેના બાળકો અને પત્નીને ખવડાવી શકે તેમ ન હતો, જેના કારણે તેણે પોતાના જ બાળકો અને પત્નીની હત્યા કરી હતી. આ ઘટનાએ પાકિસ્તાન સહિત સમગ્ર વિશ્વને આંચકો આપ્યો છે. આનો અર્થ એ થયો કે પાકિસ્તાનમાં સ્થિતિ એટલી કાબૂ બહાર થઈ ગઈ છે કે સામાન્ય લોકો પૈસાના અભાવે પોતાના પરિવારને બરબાદ કરવા પર તણાઈ ગયા છે.

ઈમરાન ખાને ઢાકા દુર્ઘટનાનો ભય વ્યક્ત કર્યો હતો
બીજી તરફ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને અદિયાલા જેલમાંથી સરકારને એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. ઈમરાને કહ્યું કે કોઈ પણ દેશ આર્થિક સ્થિરતા વગર ચાલી શકે નહીં. તેમણે પાકિસ્તાનમાં તાજેતરના રાજકીય વિકાસ અને 1971ની ઢાકા દુર્ઘટના વચ્ચે સરખામણી કરી હતી. આ સાથે જ ઈમરાને પાકિસ્તાનમાં ‘ઢાકા ટ્રેજડી’ જેવી સ્થિતિનો ભય વ્યક્ત કર્યો છે.

Most Popular

To Top