Dakshin Gujarat

બારડોલીમાં વિધર્મી કથીત પત્રકાર ભૂવો બનીને પરિણિતા સાથે કર્યું આ કામ

બારડોલી : ગુજરાતમાં (Gujarat) ભુવાઓ દ્વારા પરિણિતાને છેડતી કરવાના કિસ્સા સતત વધી રહ્યાં છે.  આવો જ એક કિસ્સો બારડોલી (Bardoli)તાલુકામાંથી સામે આવ્યો છે. જ્યાં એક વિધર્મી કથીત પત્રકાર (Reporter) ભૂવો બનીને પરણિતાને સાથે અડપલાં કર્યા હતા. ભૂવો બની મહિલાને બંધ રૂમમાં બેસાડી તેની સાથે છેડછાડ કરી હતી. મહિલા (Woman)એ ભૂવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

  • કથીત પત્રકાર બની ફરતો યુવક ભૂવો બનીને પરિણાતાને છેડતી કરી
  • તપાસમાં સામે આવ્યું કે યુવક વિધર્મી છે
  • ધર્મ પરિવર્તનની પ્રવૃતિ તપાસ શરૂ કરી

િબારડોલીના તલાવડી નજીક કથીત પત્રકારે ભૂવાના વેશમાં વિધિ કરવાના બહાને અનુસૂચિત જાતિની પરિણિતા સાથે છેડતી કરતાં બારડોલી ટાઉન પોલીસ મથકમાં છેડતી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે આરોપીની અટક કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. બારડોલીના તલાવડી નજીક સ્મશાનભૂમિની બાજુમાં રહેતો અને પત્રકાર થઈને ફરતો શાબીરબાપુ ઉર્ફે સલીમબાપુ નામનો શખ્સ તેના જ ઘરના ઉપરના માળે ભગત ભૂવાની વિધિ કરે છે. ગત તા.25 ફેબ્રુઆરીએ એક અનુસૂચિત જાતિની દુખીયારી પરિણીતા તેની સમસ્યા લઈને ભૂવા શાબીરબાપુ પાસે ગઈ હતી. જ્યાં તેણે પરિણીતાને એક બંધ રૂમમાં બેસાડી તેની સાથે મરજી વિરુદ્ધ અડપલાં કરતાં મહિલા ગભરાઈ ગઈ હતી.

તેણે આ અંગે તેના પરિવારજનોને જાણ કર્યા બાદ આખરે બારડોલી ટાઉન પોલીસનું શરણું લીધું હતું. પોલીસે બુધવારે રાત્રે પરિણીતની ફરિયાદને આધારે શાબીર ઉર્ફે સલીમ બાપુ સામે છેડતી ઉપરાંત અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર નિવારણ કાયદા (એટ્રોસિટી એક્ટ)ની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાની તપાસ એસસીએસટી સેલના ડીવાયએસપી ભાર્ગવ પંડ્યા કરી રહ્યા છે. પોલીસે આરોપી શાબીરની અટક કરી તેની પૂછપરછ શરૂ કરી હતી. પોલીસ તેના ઘરે વિધિ માટે બનાવેલા સ્થાનકની પણ મુલાકાત લઈ ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિની દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

અન્યની સંડોવણી છે કે કેમ તપાસ થશે
એસસીએસટી સેલના ડીવાયએસપી ભાર્ગવ પંડ્યાએ જણાવ્યું હતું કે, શાબીરબાપુએ વિધિના બહાને મહિલા સાથે છેડતી કરી હોવાની ફરિયાદ મળતાં હાલ અમે તપાસ શરૂ કરી છે. આરોપીની અટક કરી કોવિડ રિપોર્ટ આવ્યા બાદ તેની વિધિવત ધરપકડ કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય કોઇની સંડોવણી બાબતે પણ પોલીસની ટીમ તપાસ કરી રહી છે.

Most Popular

To Top