National

બિન-મુસ્લિમોને ખતમ કરવા લવ જેહાદ દ્વારા આતંકવાદમાં ધકેલાઈ રહી અન્ય ધર્મોની છોકરીઓ: બિશપ

કેરળ (Kerala)ના એક કેથોલિક બિશપે ગુરુવારે કહ્યું કે રાજ્યમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી છોકરીઓ (Christian girls) “લવ જેહાદ અને નાર્કોટિક જેહાદ”ના જાળ (love jihad and narcotics network)માં આવી રહી છે અને ઉગ્રવાદીઓ અન્ય ધર્મોની યુવતીઓ (non Muslim girls)ને નાશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યાં હથિયારોનો ઉપયોગ કરી શકાતો નથી ત્યાં આ યુક્તિઓ ઉપયોગ કરવામાં આવે છે. 

બિશપે કહ્યું કે જેહાદીઓ આતંકવાદી પ્રવૃત્તિઓ અથવા આર્થિક લાભ માટે અન્ય ધર્મોની મહિલાઓનો દુરુપયોગ કરવા માટે પ્રેમ અને અન્ય માધ્યમોનો ઉપયોગ કરે છે. તેમનો ધ્યેય તેમના ધર્મને વધારવાનો અને બિન-મુસ્લિમોને ખતમ કરવાનો છે. તેમણે કહ્યું કે તે ઉગ્રવાદીઓ માટે યુદ્ધની વ્યૂહરચના છે. સિરો મલબાર ચર્ચ સાથે જોડાયેલા પાલા બિશપ માર જોસેફ કલરંગટ્ટાએ આરોપ લગાવ્યો હતો કે ‘લવ જેહાદ’માં બિન-મુસ્લિમ છોકરીઓ, ખાસ કરીને ખ્રિસ્તી સમુદાયની છોકરીઓને પ્રેમમાં ફસાવીને તેમના ધર્મ પરિવર્તન અને શોષણનો સમાવેશ થાય છે. તેનો ઉપયોગ આતંકવાદ જેવી વિધ્વંસક પ્રવૃત્તિઓમાં થઈ રહ્યો છે. તેઓ કોટ્ટાયમ જિલ્લાના કુરુવિલંગદ ખાતે એક ચર્ચ કાર્યક્રમમાં ભક્તોને સંબોધી રહ્યા હતા. 

બિશપે વિશ્વભરમાં અને કેરળમાં કોમીવાદ, ધાર્મિક અસહમતિ અને અસહિષ્ણુતા ફેલાવવાનો પ્રયાસ કરી રહેલા જેહાદીઓની હાજરી સામે ચેતવણી આપતા કહ્યું કે તેઓ અન્ય ધર્મોનો નાશ કરવા માટે જુદી જુદી યુક્તિઓ અપનાવી રહ્યા છે. “આવી બે વસ્તુઓ લવ જેહાદ અને નાર્કોટિક જેહાદ છે. જેહાદીઓ જાણે છે કે ભારત જેવા લોકશાહી દેશમાં અન્ય ધર્મોના લોકોને હથિયારોથી નાશ કરવો સરળ નથી, તેથી તેઓ પોતાનું લક્ષ્ય હાંસલ કરવા માટે આવી અન્ય યુક્તિઓ અપનાવી રહ્યા છે. ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક લોકનાથ બેહરાના તાજેતરના નિવેદનોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે કેરળ આતંકવાદીઓ માટે ભરતી કેન્દ્ર બની ગયું છે અને રાજ્યમાં ઉગ્રવાદી જૂથોનો ભૂગર્ભ કોષ અસ્તિત્વમાં છે. બિશપે દાવો કર્યો હતો કે રાજ્યમાંથી ખ્રિસ્તી અને હિન્દુ છોકરીઓને ધર્માંતરણ કરવામાં આવી હતી અને તાજેતરમાં અફઘાનિસ્તાનમાં આતંકવાદી શિબિરોમાં મોકલવામાં આવી હતી. 

તેમણે કહ્યું કે આ મામલાની ગંભીરતાથી તપાસ થવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે જેઓ એમ કહી રહ્યા છે કે રાજ્યમાં ‘લવ જેહાદ અને માદક જેહાદ’ નથી, તેઓ સત્ય તરફ આંખ આડા કાન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે રાજકારણીઓ, સામાજિક-સાંસ્કૃતિક નેતાઓ અને પત્રકારો, જેઓ આનો ઇનકાર કરી રહ્યા છે, તેમ કરવામાં તેમનું સ્વાર્થ હોઈ શકે છે. 

Most Popular

To Top